ગાંધીનગરમાં બોરિયા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લીધે દબાણો હટાવવા સામે હાઈકોર્ટમાં રિટ
- મ્યુનિએ દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ આપી હતી
- મ્યુનિએ 43માંથી 35 દબાણકર્તાઓને પ્લોટ ફાળવી આપ્યા
- બંને પક્ષોની સહમતિથી વચગાળાનો ઉકેલ લવાયો
અમદાવાદઃ ગાંધીનગરમાં બોરિયા તળાવને લાખોના ખર્ચે બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અડચણરૂપ બનતા ગેરકાયદે બાંધકામો દુર કરવા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને દબાણકર્તાઓને નોટિસ આપી હતી. તેની સામે અરજદારે હાઈકોર્ટમાં રિટ કરીને પુનર્વસનની માગણી કરી હતી. દરમિયાન મ્યુનિએ માનવતાભર્યો અભિગન દાખવીને દબાણકર્તાઓને 25 ક્વેર મીટરના પ્લોટ ફાળવાની તૈયારી દર્શાવીને બન્ને પક્ષોની સહમતીથી ઉકેલ લવાયો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના એક અરજદાર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી હતી. અરજદાર ગાંધીનગરના બોરીયા તળાવ ઉપર અનધિકૃત બાંધકામ કરીને રહે છે. પરંતુ મ્યુનિએ બોરિયા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું હોવાથી દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ આપી હતી. જેમાં હાઇકોર્ટમાં પુનર્વસનની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પુનર્વસન પોલિસી અંતર્ગત માનવીય અભિગમ દાખવતા બોરીયા તળાવ કિનારે અનધિકૃત બાંધકામ કરીને રહેતા લોકોને હંગામી ધોરણે રહેવા માટે અરજદાર દીઠ 25 સ્ક્વેર મીટરનો પ્લોટ ફાળવવાની તૈયારી દર્શાવી હતી. 43 લોકો પૈકી લાયકાત ધરાવતા 35 લોકોને આ પ્લોટ ફાળવવામાં આવેલો છે. જ્યાં તેઓનો કાયમી બંદોબસ્ત ના થાય ત્યાં સુધી ટેમ્પરરી બાંધકામ કરીને રહી શકશે. આમબંને પક્ષોની સહમતિથી આ વચગાળાનો ઉકેલ શોધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ સમક્ષ પણ અરજદારોએ 15 દિવસમાં દબાણ ખાલી કરી દેવા બાહેંધરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે જો અરજદારો બોરિયા તળાવની જગ્યા ખાલી કરીને બીજે ક્યાંય રહેવા ગયા હોત તો પણ દબાણકર્તા જ કહેવાત. આવી જ રીતે અમદાવામાં TP સ્કીમ હેઠળ રાણીપમાં કેટલાક લોકોને નોટિસ મળેલ છે. પરંતુ તેની ઉપર હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે.