For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો, કચ્છમાં અમી છાંટણા સાથે વાદળછાંયુ વાતાવરણ

06:18 PM Mar 21, 2025 IST | revoi editor
ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો  કચ્છમાં અમી છાંટણા સાથે વાદળછાંયુ વાતાવરણ
Advertisement
  • ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, રાતે ઠંડી અને બપોરે ગરમી
  • ભૂજ અને નખત્રાણા વિસ્તારમાં વરસાદના છાંટણાથી રોડ-રસ્તા ભીંજાયા
  • હવામાન વિભાગ કહે છે, હવે કાલથી તાપમાનમાં વધારો થશે

રાજકોટઃ ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમીનો અનુભવ થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અને રાજ્યના હવામાન વિભાગે તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં જ ગઈકાલ રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને કચ્છમાં આકાશ વાદળછાયું બન્યા બાદ ભૂજ અને નખત્રાણામાં કમોસમી વરસાદની અમી છાંટમા પડતા રોડ-રસ્તાઓ ભીજાઈ ગયા હતા.

Advertisement

ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ડબલ ઋતુ અનુભવાઇ રહી છે. સવાર-સાંજ ભેજવાળા ઠંડા પવનો અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે કચ્છના ભુજ અને નખત્રાણાના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. ગઈકાલે ગુરુવારે બપોર બાદ ભુજ અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે અમી છાંટણા પડતાં રસ્તા ભીંજાઈ ગયા હતા. નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તાર તેમજ ભુજના કોડકી, મખણા વચ્ચેના વાડી વિસ્તાર ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ભુજ શહેરમાં સાંજના સમયે પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા સાથે રસ્તા ભીના થયા હતા.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં તાપમાનનો ક્રમશઃ વધારો થશે. અને માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડયા હતા. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટુ નોંધાયુ હતું. જેથી વરસાદના કારણે માર્ગો ભીંજાઇ ગયા હતા. આ કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement