હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નળ સરોવર રોડ પર કુમારખાણ ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા બેના મોત

04:03 PM Aug 24, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નળસરોવર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બન્ને બાઈકચાલકોના મોત નિપજ્યા હતા. આ ભનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બન્ને મૃતકોની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  વિરમગામના નળસરોવર રોડ પર કુમારખાણ ગામ નજીક બે બાઇક ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ચાલકના મોત નિપજ્યાં હતા. પોલીસે બંને યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. બન્ને બાઈક ઓવરસ્પિડમાં સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં નિતીન ગોવિંદભાઇ ડાભી (ઉ.વ.18, રહે.કુમારખાણ ગામ) અને વિષ્ણુ હિંમતભાઇ મેર (ઉ.વ 19, રહે.કમિજલા ગામ)નું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિરમગામ-નળસરોવર પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વિરમગામ અને નળ સરોવર રોડ પર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોથી અવરજવર તેમજ બેફામ ચાલતા વાહનોને લઈને અકસ્માતોની સંખ્યા વધી છે. સાંકડા અને જર્જરિત રસ્તાને લઈને વારંવાર સર્જાતા અકસ્માતને લઈને નળકાંઠાના ગ્રામજનો પર ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNal Sarovar RoadNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo bikes collide head-ontwo deadviral news
Advertisement
Next Article