For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં 58 હજાર લીટર ઈંધણ હતું, આસપાસના વિસ્તારમાં નુકશાનીનો અંદાજ

04:22 PM Jun 12, 2025 IST | revoi editor
અમદાવાદમાં દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં 58 હજાર લીટર ઈંધણ હતું  આસપાસના વિસ્તારમાં નુકશાનીનો અંદાજ
Advertisement

અમદાવાદઃ અમદાવાદ ઓરપોર્ટ ઉપરથી લંડન જતી ફ્લાઈટ સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે દૂર્ગટનાગ્રસ્ત થયું હતું. દરમિયાન સુત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા મેસને પ્લેનનો કેટલોક ભાગ ટકરાયો હતો. તેમજ પ્લેનનો કેટલોક ભાગ આસપાસના વિસ્તારમાં પડ્યાં હતા. જેથી મેસ તથા આસપાસના વિસ્તારમાં નુકશાન થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

Advertisement

સુત્રોના જણાવ્યા અનુસાર પ્લેન દૂર્ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. બચાવ ટીમે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી કરી હતી. આ પ્લેનમાં 60 જેટલા વિદેશી મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય પ્રવાસીઓ હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement