For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ

06:09 PM Jun 05, 2025 IST | revoi editor
ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી  પ્રવાસીઓનો બચાવ
Advertisement
  • ધ્રોબા-કંડલા રૂટની એસટી બસમાં ધુમાડા દેખાતા ડ્રાઈવરે પ્રવાસીઓને બહાર કાઢ્યા,
  • ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી,
  • શોર્ટ-સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન

ભુજઃ જિલ્લાના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ એકાએક આગ લાગતા એસટી બસના ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને તમામ પ્રવાસીઓને બસમાંથી સલામતરીતે ઉતારી દીધા હતા. એટલે જાનહીની થઈ નથી. દરમિયાન આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનોએ દાડી આવીને પાણીનો મારો ચલાવીને આગના કાબુમાં લીધી હતી,

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ધ્રોબાથી કંડલા રૂટની લોકલ એસટી બસ નંબર GJ 18 Z 4754માં સવારે 10:10 વાગ્યે અચાનક આગ લાગી હતી. એસટીબસના ચાલકે એન્જિનમાંથી ઘૂમાડો જોતા જ એસટી બસ રોડ સાઈડ પર પાર્ક કરીને પ્રવાસીઓને ત્વરિત બસમાંથી ઉતરવાની સુચના આપી હતી. જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.

એસટી બસના ડ્રાઈવરે  પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમને તરત જ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ડ્રાઇવર જીજ્ઞેશ જેઠવા, ફાયરમેન અરમાન પટ્ટણી અને વિશાલ ગોર સહિત ટ્રેનિંગ સ્ટાફે ભાગ લીધો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે કચ્છમાં ભારે ગરમીના દિવસોમાં આગનો આ બીજો બનાવ છે. આ અગાઉ રાધનપુર હાઇવે પર રાપરના કાનમેર પાટિયા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement