હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બેંગલુરુમાં ભાગદોડનો મામલે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પહોંચ્યું હાઈકોર્ટ

12:32 PM Jun 10, 2025 IST | revoi editor
Advertisement

બેંગ્લોરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPL 2025નો ખિતાબ જીત્યા બાદ ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ બાદ RCB સહિત 4 પક્ષો સામે FRI દાખલ કરાઈ છે. હવે આરસીએસપીએલે આ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે RCB IPL ટીમનું સંચાલન કરે છે. આરસીએસપીએલ અને તેના સીઓઓ રાજેશ વી મેનન તેમની વિરુદ્ધ FIR સામે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા માટે અરજી દાખલ કરી છે.

Advertisement

RCBએ 3 જૂને IPLનો ખિતાબ જીત્યો હતો. RCBએ પંજાબ કિંગ્સને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું, ત્યારબાદ બીજા દિવસે ઉજવણી સમારોહ યોજાયો હતો. આ ઉજવણી દરમિયાન, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઉપરાંત, કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે આરસીબીએ 3 જૂને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું, ત્યારબાદ બીજા દિવસે ઉજવણી સમારોહ યોજાયો હતો. આ ઉજવણી દરમિયાન, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઉપરાંત, કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.

આ ભાગદોડ માટે જવાબદારી નક્કી કરવા માટે, રાજ્ય સરકારે ઘણા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા. તે જ સમયે, RCB સહિત ચાર પક્ષો સામે FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ના બે વરિષ્ઠ અધિકારીઓએ નૈતિક જવાબદારી હેઠળ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. KSCA પ્રમુખ રઘુરામ ભટને રાજીનામું આપનારા અધિકારીઓમાં સચિવ એ શંકર અને ખજાનચી ES જયરામનો સમાવેશ થાય છે.

Advertisement

શુક્રવારે KSCA ને મોકલવામાં આવેલા પત્રમાં, શંકર અને જયરામે લખ્યું, "છેલ્લા બે દિવસમાં બનેલી અણધારી અને કમનસીબ ઘટનાઓમાં અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી, પરંતુ નૈતિક જવાબદારીને કારણે, અમે જણાવવા માંગીએ છીએ કે અમે KSCA ના સચિવ અને ખજાનચી તરીકે અમારા સંબંધિત પદ પરથી રાજીનામું આપી દીધું છે." આ ઘટનામાં, યાદગીર તાલુકાના હોનાગેરા ગામના રહેવાસી શિવલિંગ (17) એ પણ પોતાનો જીવ ગુમાવ્યો. સોમવારે, શિવલિંગના પરિવારને ડીસી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અને વળતર આપવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રી શરણબસપ્પા દર્શનપુરાએ શિવલિંગના પરિવારને 25 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને તેમના બીજા પુત્રને ડી ગ્રુપમાં નોકરી આપવાનું વચન આપ્યું. દર્શનપુરાએ ડીસી સુશીલાને નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે.

Advertisement
Tags :
Aajna SamacharBENGALURUBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHIGH COURTIn the stampede caseLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRoyal Challengers Sports Private LimitedSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article