મુદ્રા નીતિ સમિતિની બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરે તેવી શકયતા
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) 6 ઑગસ્ટે યોજાનારી મુદ્રા નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરે એવી શક્યતા છે. એચએસબીસી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને શુલ્ક સંબંધિત ચિંતાઓ વચ્ચે, આગામી ત્રણ ત્રિમાસિક સમયમાં ભારતમાં જીડીપી 7 ટકા રહે તેવી ધારણા છે, જે હાલના અંદાજથી વધુ છે.
વિશ્લેષકોએ જણાવ્યું કે જીડીપી ડિફ્લેટરમાં WPI પર આધારિત મોંઘવારી વધુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, “આવી સ્થિતિમાં વર્ષ 2026ના જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં હકીકતમાં જીડીપી વૃદ્ધિ દર આશરે 7 ટકા રહે તેવી શક્યતા છે, જે જમીન સ્તરે જોતા અમારા અંદાજ કરતાં વધુ છે.” વિશ્લેષકો કહે છે કે લાંબા ગાળે કોર્પોરેટ પરિણામોમાં સુધારો જોવા મળી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, “વ્યાપક આર્થિક દૃષ્ટિએ, જૂનમાં નૉમિનલ જીડીપી વૃદ્ધિમાં આવેલી નબળાઈ કોર્પોરેટ પરિણામોમાં પણ જોવા મળી છે. અમારા અંદાજ પ્રમાણે, આ નબળાઈ — જે ભાગરૂપે ઘટતી કિંમતોના પરિણામે છે — ડિસેમ્બર ત્રિમાસિક ગાળે સુધી રહેવાની શક્યતા છે. સારી વાત એ છે કે, સમય જતાં ઇનપુટ ખર્ચમાં ઘટાડો થવાથી કોર્પોરેટ નફાકારકતા વધી શકે છે.” જોકે ઔપચારિક ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ પછી મંદી જોવા મળી છે, જ્યારે અનૌપચારિક ક્ષેત્રમાં સુધારાની અસર દેખાઈ છે, જેના કારણે વૃદ્ધિના ટ્રેન્ડ અંગે સંશય ઊભો થયો છે.
જૂનના આંકડા નિરાશાજનક રહ્યા છે, જેના કારણે અનિશ્ચિતતા વધી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, હજી પણ જોવાનું બાકી છે કે આ વહેલી વરસાદની અસર હતી કે પછી એક નવા ટ્રેન્ડની શરૂઆત છે. અનૌપચારિક ક્ષેત્રમાં આવકમાં સુધારા સાથે વપરાશ રુણોની માંગમાં ઘટાડો આવી શકે છે. લોન વૃદ્ધિ બંને તરફથી અસર પામી રહી છે. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી છૂટથી થોડીક મદદ મળી છે, પરંતુ ઔપચારિક ક્ષેત્ર માટેની નીતિગત સુધારા વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
મોંઘવારી અંગે રિસર્ચ વિભાગે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2026માં સરેરાશ મોંઘવારી દર 3 ટકા અને 2027માં 5 ટકા રહે તેવી શક્યતા છે, એટલે સરેરાશે 4 ટકા રહેવાની શક્યતા છે. સોનાને બાદ કરતાં મુખ્ય મોંઘવારી દર પણ આશરે 4 ટકા આસપાસ છે અને ગયા વર્ષે તેમાં ખાસ ઘટાડો થયો નથી. મૂળભૂત મોંઘવારી દર આરબીઆઈના 4 ટકા લક્ષ્ય જેટલો જ છે.