હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પીએમ મોદીએ જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર કર્યો શોક વ્યક્ત

06:35 PM Dec 26, 2024 IST | revoi editor
Advertisement

મલયાલમ સાહિત્યના દિગ્ગજ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું કેરળના કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, મલયાલમ સિનેમા અને સાહિત્યના સૌથી સન્માનિત વ્યક્તિઓમાં એક એમટી વાસુદેવનના નિધન પર હું દીલગીરી વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને ચાહકો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમના અમૂલ્ય કાર્યોએ પેઢીઓ સુધી લોકોને પ્રેરિત કર્યા છે. તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા વ્યક્તિઓનો અવાજ બન્યા હતા.

Advertisement

કલા અને સાહિત્યના સાચા સંરક્ષકની ખોટનો અહેસાસ કરી રહ્યું છે

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, એમટી વાસુદેવન નાયરે સાહિત્ય અને સિનેમાને સાંસ્કૃતિક અભિવ્યક્તિના શક્તિશાળી માધ્યમોમાં ફેરવ્યું હતું. તેમની વાર્તાઓમાં માનવીય ભાવનાઓ વરસતી હતી, અને કેરળના સાહિત્યનો વારસો જોવા મળતો હતો. સમગ્ર રાષ્ટ્ર આપણી કલા અને સાહિત્યના સાચા સંરક્ષકની ખોટનો અહેસાસ કરી રહ્યું છે. અમે તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમનો વારસો દરેક હૃદયમાં, તેમણે કહેલી દરેક વાર્તામાં જીવંત રહેશે.

Advertisement

તેમને મલયાલમ ભાષાના સૌથી પ્રખ્યાત લેખકો તરીકે ઓળખ મળી

એમટી વાસુદેવન નાયરને મલયાલમના મહાન લેખકોમાંના એક ગણવામાં આવે છે. તેઓ કેરળમાંથી પ્રકાશિત થતા જાણીતા સામયિક માતૃભૂમિ વીકલીના સંપાદક પણ હતા. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા એમટી મલયાલમ સાહિત્ય અને સિનેમાની જાણીતી વ્યક્તિ હતી. તેમના યોગદાનોએ બંને ક્ષેત્રોમાં અવિશ્વસનીય છાપ છોડી દીધી, જેના કારણે તેમને મલયાલમ ભાષાના સૌથી પ્રખ્યાત લેખકોમાંના એક તરીકે ઓળખ મળી. એમટીએ પટકથા લખવા માટે ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા અને સાત ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જ્યારે લગભગ 54 અન્ય ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી. એમટીને સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1995માં ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ એનાયત કરવામાં આવ્યું હતું. પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવનાર એમટી મલયાલમ સાહિત્ય અને સિનેમામાં અગ્રણી વ્યક્તિ હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaraticondolenceGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharknownLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMalayalam writerMota BanavMT Vasudevan NairNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespassing awaypm modiPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article