For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રીએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં 'ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ'ના સમાવેશની પ્રશંસા કરી

02:50 PM Jul 12, 2025 IST | revoi editor
પ્રધાનમંત્રીએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં  ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ના સમાવેશની પ્રશંસા કરી
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સનો સમાવેશ થવા પર ખૂબ ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે.

Advertisement

તેમણે માહિતી આપી કે આ વારસામાં 12 ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે - 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં. મરાઠા સામ્રાજ્યના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્યની વાત કરીએ છીએ, ત્યારે આપણે તેને સુશાસન, લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકવા સાથે જોડીએ છીએ. મહાન શાસકો આપણને કોઈપણ અન્યાય સામે ન નમવાની હિંમતથી પ્રેરણા આપે છે."

તેમણે નાગરિકોને મરાઠા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવા માટે આ કિલ્લાઓની મુલાકાત લેવાનો આગ્રહ કર્યા હતો. પ્રધાનમંત્રીએ 2014માં રાયગઢ કિલ્લાની મુલાકાતની યાદો પણ શેર કરી, જેમાં છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે લેવામાં આવેલી એક તસવીરનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement