For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદથી 10 કિમી દુર રહેતા લોકોએ વાહન ખરીદતી વખતે મ્યુનિનો વેરો ભરવો પડશે

04:06 PM Jun 22, 2025 IST | revoi editor
અમદાવાદથી 10 કિમી દુર રહેતા લોકોએ વાહન ખરીદતી વખતે મ્યુનિનો વેરો ભરવો પડશે
Advertisement
  • અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે,
  • મ્યુનિના વાહનવેરાથી બચવા કેટલાક લોકો નજીકના ગામમાં રહેતા હોવાના પુરાવા આપતા હોય છે.

અમદાવાદઃ શહેરની આસપાસના 10 કિમીના અંતરે આવેલા ગામના લોકોએ પણ હવે અમદાવાદ મ્યુનિનો વ્હીકલટેક્સ ભરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાહનના ટેક્સ મામલે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં નવા વાહનોની ખરીદી પર અમદાવાદ શહેર સહિત નજીકમાં રહેતા લોકોને પણ વાહન વેરો ચૂકવવો પડશે. AMCના નિર્ણય મુજબ, અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે.

Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હદથી 10 કિમી દુર આવેલા ગામડાંના લોકોએ હવે નવા વાહનો ખરીદતી વખતે આરટીઓમાં રજિસ્ટ્રેશન સાથે જ મ્યુનિનો વ્હીકલ ટેક્સ ચુકવવો પડશે. શહેરમાં રહેતા કેટલાક લોકો નજીકના ગામડાના રહેવાસી હોવાના પુરાવા રજૂ કરીને મ્યુનિનો વ્હીક ટેક્સ ભરતા નહતા, આરટીઓ દ્વારા પણ ખરીદવામાં આવતા વાહનોનો વેરો અલગ-અલગ આંકવામાં આવતો હોય છે, ત્યારે સિટીમાં રહેનારા લોકો ટેક્સથી બચવા માટે નજીકના ગામડાના પુરાવા રજૂ કરીને વેરો ચૂકવવાથી બચી જતા હતા. જ્યારે હવે AMCના નવા નિયમ મુજબ અમદાવાદ શહેરથી 10 કિ.મી.ના વિસ્તારના લોકોને વાહન વેરો ચૂકવવો પડશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા વાહન વેરાને લઈને નિર્ણય કર્યો છે, ત્યારે શહેરથી 10 કિ.મી.ના અંતરમાં રહેતા લોકોને હવે ટેક્સ ચૂકવવો પડશે. આ પ્રકારના નિર્ણય બાદ અમદાવાદ નજીકના ગામડાના રહેવાસીને પણ મ્યુનિનો વ્હીકલ ટેક્સ ચૂકવવા પડશે. આમ નવા વાહન ખરીદી સમયે AMCના નવા નિયમો લાગુ થશે અને તેને અનુરુપ વાહન વેરો લેવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement