For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રીય એકતા દિવસ : નરેન્દ્ર મોદીએ લીધી રાષ્ટ્રીય એકતાની શપથ

11:40 AM Oct 31, 2025 IST | revoi editor
રાષ્ટ્રીય એકતા દિવસ   નરેન્દ્ર મોદીએ લીધી રાષ્ટ્રીય એકતાની શપથ
Advertisement

એકતા નગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે નર્મદા નદી પર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસર પર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ઉપક્રમે એકતા નગર ખાતે ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતની “વૈવિધ્યમાં એકતા”ની ભાવનાને જીવંત રીતે રજૂ કરવામાં આવી.

Advertisement

સરદાર પટેલના યોગદાનને સન્માન આપવા માટે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ વર્ષ 2014થી દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। આ દિવસ રાષ્ટ્રીય અખંડિતતા, એકતા અને સુરક્ષાને સમર્પિત છે. આજના કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ દેશની એકતા અને અખંડિતતાની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ઉપસ્થિત જનસમૂહને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “હું મારા દેશની એકતા અને અખંડિતતાની રક્ષા કરવાનો સંકલ્પ લઉં છું અને તે માટે પોતાને સમર્પિત કરું છું.”

વડા પ્રધાન મોદીએ સવારે લગભગ 8 વાગ્યે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રાર્થના કરી અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। ત્યારબાદ તેમણે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પરેડમાં ભાગ લીધો હતો, જેમાં BSF, CRPF તેમજ વિવિધ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓએ શૌર્ય અને શિસ્તભર્યું પ્રદર્શન કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement