For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં બે વર્ષમાં 2500થી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી

04:19 PM Mar 25, 2025 IST | revoi editor
વડોદરામાં બે વર્ષમાં 2500થી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા  ઊર્જા મંત્રી
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2590 જેટલાં કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જેની પાછળ 49.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગળ મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોજિટના નાણાં જ લેવામાં આવે છે. નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણ માટે આગવુ ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે.

Advertisement

એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપનીને વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરની કામગીરી માટે અંદાજિત રૂ. 1.73 લાખ જેટલો ખર્ચ થાય છે. પરંતુ ખેડૂત પાસેથી વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરનો કોઈ ખર્ચ લેવામાં આવતો નથી અને તમામ ખર્ચના તફાવતના નાણાં સરકાર દ્વારા ચૂકવાય છે. મંત્રીએ કહ્યું હતું કે, 5 હોર્સ પાવરના વીજ જોડાણ માટે આ યોજના હેઠળ ખેડૂતે રૂ. 7855 આપવાના હોય છે. 

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સામાન્ય યોજના સિવાય ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવે છે. જેમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના અને અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોએ માત્ર એનર્જી ડિપોઝીટના નાણાં જ ભરવાના રહે છે. આ ઉપરાંત સાગરખેડૂ સર્વાગી વિકાસ યોજના અંતર્ગત ખેડૂતે સામાન્ય યોજના મુજબ માત્ર અંદાજપત્ર ભરવાનું રહે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement