For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના શાહીબાગમાં એક રાતમાં જ્વેલરી શોપ સહિત 10 દૂકાનોના તાળાં તૂંટ્યા

05:24 PM Jun 16, 2025 IST | revoi editor
અમદાવાદના શાહીબાગમાં એક રાતમાં જ્વેલરી શોપ સહિત 10 દૂકાનોના તાળાં તૂંટ્યા
Advertisement
  • 20 લાખની મત્તાની તસ્કરો ઉઠાવી ગયા,
  • ચોરીના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ,
  • પોલીસે સીસીટીવી કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં સુજાતા ફલેટની સામે આવેલા મલ્લીનાથ કોમ્પ્લેક્ષની 10 દુકાનના તાળાં તોડી તસ્કરો રોડડ, દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને અંદાજે રૂ.20 લાખની મત્તા ચોરી ગયા હતા. એક જ રાતમાં જે 10 દુકાનોના તાળા તૂંટ્યા જેમાં એક જ્વેલરી શોપનો પણ સમાવેશ થાય છે. જ્વેલરી શોપમાંથી દાગીના અને રોકડ મળીને કુલ રૂ.16.14 લાખની મતાની ચોરી થઈ હતી. જવેલરી શોપના સીસીટીવીના કૂટેજ મેળવીને પોલીસે તપાસ શરુ કરી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સુભાષબ્રિજ કેશનવગર આસુતોષ રેસિડેન્સીમાં રહેતા અમિતભાઈ મોહનલાલ શાહ( ઉ.વ. 43) મલ્લીનાથ કોમ્પ્લેક્ષના પહેલા માળે મારુતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. અમિતભાઈને છેલ્લા 1 વર્ષથી પેટની તકલીફ હતી. જો કે તા.9 જૂને તેમની તબિયત બગડતા સાંજે દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. જ્યારે તા.15 જૂનના રવિવારે સવારે 8 વાગ્યે તેમના કોમ્પ્લેક્ષમાં હેર સલુન ધરાવતા અશોકભાઈ નાઈએ ફોન કરીને કહ્યું હતુ કે આપણા કોમ્પ્લેક્ષની દુકાનોના તાળા તૂટેલા છે. તમારી દુકાનનું શટર પણ અડધુ ખુલ્લું છે. જેથી અમિતભાઈ દુકાને આવ્યા હતા અને જોયું તો દુકાનના ડ્રોઅરમાંથી રૂ.15.49 લાખની કિંમતના સોના - ચાંદીના દાગીના અને રોકડા રૂ.65 હજાર મળીને કુલ રૂ.16.14 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ ઉપરાંત અન્ય 9 દુકાનોના તાળા તૂટયાં હતાં. જેમાંથી કેટલીક દુકાનોમાંથી ચોરી થઈ હતી તો કેટલીક દુકાનોમાંથી કશું ગયુ ન હતુ. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement