For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગૃહ મંત્રાલયે ‘ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025’ના નિયમો અમલમાં મુક્યા, ગેરકાયદેસર વિદેશી નાગરિકો પર થશે કડક કાર્યવાહી

03:10 PM Sep 02, 2025 IST | revoi editor
ગૃહ મંત્રાલયે ‘ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025’ના નિયમો અમલમાં મુક્યા  ગેરકાયદેસર વિદેશી નાગરિકો પર થશે કડક કાર્યવાહી
Advertisement

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર 2025થી *ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025ના નિયમોને અમલમાં મૂકી દીધા છે. આ અધિનિયમનો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદેસર રીતે વસતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવાનો છે. આ બિલ એપ્રિલ 2025માં સંસદમાં પસાર થયું હતું અને હવે મંત્રાલય દ્વારા તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ બ્યુરો ઑફ ઇમિગ્રેશનને વધુ સશક્ત બનાવવામાં આવ્યું છે, જેથી તે વિદેશી નાગરિકોની દેખરેખ અને નિયંત્રણ વધુ અસરકારક રીતે કરી શકે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો તાત્કાલિક અસરથી લાગુ થશે, જેથી દેશની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની શકે.

Advertisement

  • નવા નિયમોના મુખ્ય મુદ્દા

 ભારતમાં રહેલા વિદેશી નાગરિકોની દેખરેખ અને તેમના પર જરૂરી કાનૂની કાર્યવાહી કરવા માટે *બ્યુરો ઑફ ઇમિગ્રેશન*ને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે.

 જો કોઈ વિદેશી નાગરિક નિયમોનું ઉલ્લંઘન કરીને દેશમાં પ્રવેશ કરે છે, તો તેને દેશમાંથી બહાર કાઢવાનો (ડિપોર્ટ કરવાનો) સંવિધાનિક અધિકાર હવે *બ્યુરો ઑફ ઇમિગ્રેશન*ને હશે. આ પ્રક્રિયામાં તે સંબંધિત રાજ્ય સરકારો અને એજન્સીઓ સાથે સહકાર કરશે.

Advertisement

જો કોઈ વિદેશી નાગરિક હોટેલ, શૈક્ષણિક સંસ્થા અથવા અન્ય કોઈ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પકડાશે, તો તેની નોંધણી (રજીસ્ટ્રેશન) તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ દેશમાં રહેવા અથવા દેશ છોડવા માટે નકલી પાસપોર્ટ, વીઝા અથવા અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરશે, તો તેને ઓછામાં ઓછા 2 વર્ષની સજા થશે અને સાથે 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

  • દેખરેખ માટે ડેટાબેસ

આ અધિનિયમ હેઠળ સંબંધિત એજન્સીઓને વિદેશી નાગરિકોનો સ્ટેટ લેવલ ડેટાબેસ જાળવવાનો રહેશે. સમયાંતરે આ માહિતી બ્યુરો ઑફ ઇમિગ્રેશનને આપવામાં આવશે, જેથી આવા કેસોમાં કડક દેખરેખ રાખી શકાય અને જરૂરી કાર્યવાહી કરી શકાય.

Advertisement
Tags :
Advertisement