For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગંભીર ગુનાના કેસમાં ફાંસી સિવાય અન્ય રીતે મોતની સજા આપવા ઉપર સરકારની વિચારણા

02:02 PM Nov 12, 2025 IST | revoi editor
ગંભીર ગુનાના કેસમાં ફાંસી સિવાય અન્ય રીતે મોતની સજા આપવા ઉપર સરકારની વિચારણા
Advertisement

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 21 જાન્યુઆરીએ મૃત્યુદંડની સજા પામેલા દોષિતોને ફાંસી આપવાની હાલની પદ્ધતિને કાયદામાંથી દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.

Advertisement

ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે મોતની સજા પામેલા દોષિતને ફાંસી આપવાની હાલની પ્રથાને નાબૂદ કરવા અને તેના બદલે, કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં નસમાં ઇન્જેક્શન, ફાયરિંગ, ઇલેક્ટ્રિક શોક અથવા ગેસ ચેમ્બર જેવી ઓછી પીડાદાયક પદ્ધતિઓ અપનાવવાની માંગ કરવામાં આવી હતી.

એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જાન્યુઆરી 2026 માં આ મામલાની સુનાવણી કરવાની વિનંતી કરી. 2017 માં અરજી દાખલ કરનારા વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ કહ્યું, "આ કેસ પણ ફાસીની જેમ વટકતો રહ્યો, વેંકટરામણીએ કહ્યું, "અત્યારે કોઈને ફાંસી આપવામાં આવશે નહીં. ચિંતા કરવાની કોઈ જરૂર નથી."

Advertisement

મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એટર્ની જનરલે અગાઉ કોર્ટને જાણ કરી હતી કે કેન્દ્ર સરકાર ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવવાનું વિચારી રહી છે. વેંકટરામણીએ કહ્યું, "કેટલીક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ મને ખબર નથી કે તેનું કોઈ પરિણામ આવ્યું છે કે નહીં. હું આ મામલાની તપાસ કરીશ અને કોર્ટને રિપોર્ટ કરીશ."

Advertisement
Tags :
Advertisement