For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બજેટમાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ

11:31 AM Feb 01, 2025 IST | revoi editor
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત  1 7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Advertisement

નવી દિલ્હી:  નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે. સવારે 11 વાગ્યાથી બજેટની શરૂઆત થયું છે. આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઇ રહ્યું છે.

Advertisement

પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement