For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, ભાજપા બનાવી રહી છે સરકાર

01:32 PM Feb 08, 2025 IST | revoi editor
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ  ભાજપા બનાવી રહી છે સરકાર
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો ઉપર તા. 5મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જો કે, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને દિલ્હીમાં વર્ષો બાદ ભાજપાની સરકાર બની રહ્યાનું જોવા મળ્યું હતું. ભાજપાની જીતને પગલે નેતા-કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો હતો. આ ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસના નેતાઓને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ એક બેઠક પણ મેળવી શકી ન હતી. કોંગ્રેસ અને આપના વોટશેર ઘટ્યો છે બીજી તરફ ભાજપના વોટશેરમાં વધારો થયાનું જાણવા મળે છે.

Advertisement

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે એટલું જ નહીં આપના સિનિયર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં દિલ્હીના મુખ્યમંત્રી અતિશિ પણ કાલકાજી બેઠક ઉપર માંડ માંડ જીત્યાં હતા.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો ઉપર ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. બીજી તરફ લોકસભાની ચૂંટણી સાથે મળીને લડનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ લડ્યાં હતા. બંને પાર્ટીઓ અલગ-અલગ લડી તેના કારણે આપને ભારે નુકશાન થયાનું રાજકીય પંડિતો મળી રહ્યાં છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટીના વોટ કાપ્યાનું ચર્ચાય રહ્યું છે.

Advertisement

ભાજપના સાંસદ રવિ કિશને દિલ્હી ચૂંટણીના વલણો પર કહ્યું કે "આ વડા પ્રધાન મોદીની ગેરંટી છે, કોઈ મુખ્યમંત્રીનો ચહેરો નહોતો, આ ભાજપ પર લોકોનો વિશ્વાસ છે. પૂર્વાંચલ અને સમગ્ર દિલ્હીના લોકોનો આભાર. અરવિંદ કેજરીવાલ અને AAP દ્વારા શરૂ કરાયેલ ગંદી રાજનીતિનો અંત આવ્યો છે. હવે દિલ્હી ઝડપથી વિકાસ કરશે..."

દિલ્હી ચૂંટણીના વલણો પર, ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે "પીએમ મોદીની અપીલ સાંભળવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર માનું છું... કેજરીવાલ બધા મોડેલોમાં નિષ્ફળ ગયા છે... એ ચોક્કસ છે કે કેજરીવાલ તિહાડ જશે. તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નહીં બને... પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ કોઈપણ પાર્ટી કાર્યકર દિલ્હીનો આગામી મુખ્યમંત્રી હશે.

Advertisement
Tags :
Advertisement