For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશેઃ રાજ્યપાલ

06:08 PM Jun 25, 2025 IST | revoi editor
વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશેઃ રાજ્યપાલ
Advertisement
  • ભૂકંપ બાદ વડાપ્રધાને વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલી છેઃ રાજ્યપાલ,
  • રાજ્યપાલના હસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું,
  • શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન પર ભાર મૂકતા રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનથી કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ભયાનક ભૂકંપની આપદા બાદ વિકાસની સંભાવનાઓને પારખી હતી. વર્તમાન સમયમાં વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલવાનો શ્રેય રાજ્યપાલએ વડાપ્રધાનને આપ્યો હતો.  વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશે તેમ રાજ્યપાલએ જણાવ્યું હતું.

Advertisement

ડ્યૂન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલએ યુવાઓ શિક્ષણ હાંસલ કરે, વૈચારિક રીતે બૌદ્ધિક બને અને દેશના વિકાસમાં સહભાગી બને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો. ગાંધીધામ પધારેલા રાજ્યપાલનું કચ્છી પાઘડી અને કચ્છી ભરતકામથી સુશોભિત કોટી પહેરાવીને કચ્છી સંસ્કૃતિ મુજબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડ્યૂન્સ કોલેજના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન બાદ આનંદની લાગણી વ્યક્ત કરતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં વિકાસની સાથે કચ્છ જિલ્લા એ શિક્ષણ ક્ષેત્રમાં પણ હરિફાઈ કરવી પડશે. ડ્યૂન્સ કોલેજમાં બી.બી.એ, બી.સી.એ અને એમ.બી.એ. જેવા કોર્સમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ રોજગારી પ્રાપ્ત કરવા માટે કુશળ બનશે. જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ડ્યૂન્સ કોલેજ કચ્છમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા સાથે  આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. રાજ્યપાલ કુરુક્ષેત્રના પોતાના શિક્ષણકાળના અનુભવોને વાગોળતાં જણાવ્યું હતું કે, દુનિયામાં કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવાનું હથિયાર શિક્ષણ બન્યું છે. માનવ જીવનમાં વિકાસનો આધાર શિક્ષણ છે. શિક્ષણની મદદથી જ કોઈપણ સમાજ અને દેશ પ્રગતિ કરે છે. બાળકોમાં શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવા તેમજ વ્યસનમુક્તિ બાબતે ધ્યાન આપવા રાજ્યપાલએ વાલીઓને અનુરોધ કર્યો હતો. ધન- સંપતિ કરતાં શિક્ષણને સવિશેષ પ્રાધાન્ય આપીને બાળકોને આજના આધુનિક યુગ મુજબનું શિક્ષણ અપાવવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.

Advertisement

કાર્યક્રમ દરમિયાન જે.જે. એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડ્યૂન્સ કોલેજના પ્રોજેક્ટ હેડ સુશ્રી જ્યોતિબા જાડેજાએ સ્વાગત પ્રવચન કરીને કોલેજના મિશન અને વિઝનથી સૌને અવગત કરાવ્યા હતા. આ કોલેજના પ્રારંભથી વિદ્યાર્થીઓ ગાંધીધામના આંગણે  ટેક્નોલોજી, કલા અને વિજ્ઞાનનું શિક્ષણ મેળવી શકશે. વધુમાં વિદ્યાર્થીઓ ડ્યૂન્સ કોલેજમાં અભ્યાસ કરીને પારંગત બનીને નવાચાર-સ્ટાર્ટ અપમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેમ સુશ્રી જ્યોતિબા જાડેજાએ વિશ્વાસ કર્યો

Advertisement
Tags :
Advertisement