For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા 339થી વધુ

04:56 PM Jun 04, 2025 IST | revoi editor
ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા 339થી વધુ
Advertisement
  • શેત્રુંજી નદીના પટમાં વનરાજોને શિકાર અને પાણી પણ મળી રહે છે,
  • સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં 125 સિંહનો વસવાટ,
  • રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારમાં 94 સિંહનો વસવાટ

અમરેલીઃ રાજ્યના વન વિભાગ દ્વારા તાજેતરમાં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહની વસતી વધીને 891 થઈ છે, સિંહનો ગીરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વસવાટ જોવા મળ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં 339 સિંહોનો વસવાટ છે.  જે ભારતમાં સૌથી વધુ છે. અમરેલી જિલ્લો વનરાજોને સૌથી વધુ સાનુકૂળ બની રહ્યો છે, શેત્રુંજી નદીના કોતરોમાં પાણી અને શિકાર પણ આસાનીથી મળી રહેતો હોવાથી તેમજ સ્થાનિક લોકો પણ સિંહોને કોઈ ખલેલ પહોંચાડતા ન હોવાથી સિંહનો વસવાટ વધી રહ્યો છે.

Advertisement

અમરેલી જિલ્લામાં 339 સિંહોનો વસવાટ છે. આ વિસ્તારમાં વિવિધ અભયારણ્યો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો વસવાટ કરે છે. નવીનતમ વસ્તી ગણતરી મુજબ 339 સિંહોની સંખ્યા સાથે ભારત દેશમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળે છે.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ગીર પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ સિંહ પરિવાર રહે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં 125 સિંહ છે. રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારમાં 94 સિંહ વસે છે. મીતીયાળા વન્યજીવ અભયારણ્યમાં 32 સિંહ છે, જ્યારે બાબરા અને જસદણ વિસ્તારમાં માત્ર 4 સિંહ વસે છે. ઉના, કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારમાં 25 સિંહ છે. પાણિયા વન્યજીવ અભયારણ્યમાં 10 સિંહ વસે છે અને કોરિડોર વિસ્તારમાં 22 સિંહ રહે છે. વેગવેગી નાની ટેરિટરીમાં કુલ 27 સિંહ પરિવાર વસવાટ છે.

Advertisement

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લો ભારતમાં સૌથી વધુ સિંહ પરિવારના વસવાટ માટે જાણીતો છે, જેની જાળવણી અને સંભાળ વન વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં સતત સિંહોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. અમરેલી જિલ્લો માત્ર ખેડૂતપ્રધાન અને કૃષિ આધારિત જ નહીં, પરંતુ અનોખા જંગલજીવન માટે પણ પ્રસિદ્ધ છે. અહીં સમગ્ર ભારતમાં સૌથી વધુ સિંહો વસે છે. તાજેતરમાં જાહેર થયેલા વસ્તી ગણતરીના આંકડા અનુસાર, અમરેલી જિલ્લામાં કુલ 339 સિંહો વસે છે. વનવિભાગની કડક રણનીતિ અને સતત દેખરેખે સિંહોની વધતી સંખ્યા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાથે સાથે સ્થાનિક લોકો પણ સિંહો સાથે સહઅસ્તિત્વમાં જીવન જીવી રહ્યા છે. લોકોની મદદ અને જાગૃતિ અભિયાન સિંહોના જતન માટે ખૂબ જ મહત્વના સાબિત થયા છે, જેનાથી સિંહોનું જીવન વધુ સુખદ બની શકે છે.

Advertisement
Tags :
Advertisement