For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ત્રાસ દૂર કરવા AMC 20 કરોડનો ખર્ચ કરશે

05:37 PM Jun 03, 2025 IST | revoi editor
અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ત્રાસ દૂર કરવા amc 20 કરોડનો ખર્ચ કરશે
Advertisement
  • મચ્છરોના નાશ માટે ફોગિંગ અને ઇન્ડોર સ્પ્રે કરવા એજન્સીઓને કામગીરી સોંપાઈ,
  • AMCની હેલ્થ કમિટીએ આપ્યો કોન્ટ્રાક્ટ,
  • ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રખાશે

 અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકરતો હોય છેય ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચોમાસા દરમિયાન મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. મ્યુનિના હેલ્થ વિભાગની મળેલી બેઠકમાં અંદાજિત 18થી 20 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં ફોગિંગ અને મકાનોમાં ઇન્ડોર સ્પ્રે કરીને મચ્છરજન્ય રોગો અટકાવવા માટેની કામગીરી કરવા કોન્ટ્રાક્ટરોને કામ આપવાની મંજૂરી આપવામાં આવી છે.   

Advertisement

અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનમાં મચ્છરોના ઉપદ્રવ રોકવા માટે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે અંદાજિત 18થી 20 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં ફોગિંગ અને મકાનોમાં ઇન્ડોર સ્પ્રે કરીને મચ્છરજન્ય રોગો અટકાવવા માટેની કામગીરી કરવા કોન્ટ્રાક્ટરોને કામ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. દર વર્ષે જે કંપનીઓ કામ કરે છે તે જ કંપનીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. અગાઉ યોગ્ય રીતે ફોગિંગ ન કરવામાં આવતી હોવાની ફરિયાદો મળતી હોય છે તેમ છતાં પણ આ જ એજન્સીઓને ફરીથી કામગીરી સોંપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે મ્યુનિ. વર્ષે 20 કરોડથી વધુનો ખર્ચ કરશે. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ નાથવા માટે ઘરોમાં ફોગિંગ અ્ને પોરાનો નાશ કરવા માટે 16 કરોડથી વધુનો ખર્ચ કરાશે. કરોડોનો ખર્ચ કરવા છતાં દર વર્ષે રોગચાળો ઘટવાને બદલે વધી રહ્યો છે. ચાલુ વર્ષે પણ 20 કરોડના કામને હેલ્થ કમિટીએ મંજૂરી આપી છે. જે સ્થળે મ્યુનિ.ની ટીમ પોરાનો નાશ કરવા પહોંચી શકે નહીં ત્યાં ડ્રોન મારફતે આવા સ્થળો શોધી કાઢી ત્યાં દવાનો છંટકાવ કરાશે. શહેરમાં ઘરોમાં ફોગિંગ પાછળ 10 કરોડ તો પોરાના નાશ માટે 6 કરોડથી વધુનો ખર્ચ થશે.તમામ વિસ્તારોમાં મચ્છરોના ત્રાસના નિવારણ માટે તમામ મકાનોમાં દવાનો છંટકાવ કરવો, તમામ ઘરોમાં ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરવી તેમજ જ્યાં પણ પાણી ભરાયા હોય તેવા વિસ્તારમાં મચ્છરોના પોરાનો નાશ કરવાની કામગીરી કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement