For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

11:09 AM Jun 27, 2025 IST | revoi editor
અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
Advertisement

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,સહકારીતા મંત્રી રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે.મુખ્યમંત્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસ, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, સ્થાનિક ધારાસભ્યઓ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અન્ય મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement