For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી આવ્યા 68 શ્રદ્ધાળુઓ

03:22 PM Feb 06, 2025 IST | revoi editor
મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી આવ્યા 68 શ્રદ્ધાળુઓ
Advertisement

લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં, દેશ-વિદેશથી લાખો ભક્તો સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી શ્રદ્ધાળુઓનું એક જૂથ પણ પ્રયાગરાજ પહોંચ્યું હતું. પાકિસ્તાનથી આવેલા 68 શ્રદ્ધાળુઓ સિંધના છે. ગોવિંદ રામ માખીજા નામના એક શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, "અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને પવિત્ર સ્નાન કરવાનો મોકો મળી રહ્યો છે. અમે સિંધથી અહીં આવ્યા છીએ. અહીં વ્યવસ્થા ખૂબ સારી છે. અમારી પાસે રહેવા માટે આરામદાયક તંબુઓ અને સ્વાદિષ્ટ ભોજન પણ છે."

Advertisement

ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા પહેલા તેમણે હર-હર ગંગે અને હર-હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા. એક ભક્તે કહ્યું, "અમને મીડિયા દ્વારા મહાકુંભ વિશે ખબર પડી હતી. અમે ઘણા સમયથી આવવા માંગતા હતા, અમે અહીં સ્નાન કરવા માંગતા હતા. અમારું નસીબ ચમક્યું અને અમે અહીં પહોંચ્યા છીએ."

તેમણે કહ્યું, "અમે 3 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના સિંધથી નીકળ્યા અને 4 ફેબ્રુઆરીએ વાઘા બોર્ડર પાર કરી અને પછી પ્રયાગરાજ પહોંચ્યા હતા. અમને અહીં આવીને ખૂબ આનંદ થયો છે. થોડી ઠંડી છે, પણ અમે આનંદ માણી રહ્યા છીએ. પ્રયાગરાજને 68 તીર્થસ્થાનોનો રાજા માનવામાં આવે છે. અમે સંગમમાં સ્નાન કરીશું. અમે વડીલોને તર્પણ કરીશું પછી અમે રાયપુર જઈશું. અમે હરિદ્વાર, ઋષિકેશની મુલાકાત લઈશું. અમે 28 ફેબ્રુઆરીએ પાછા જઈશું."

Advertisement

મહિલા ભક્તે કહ્યું, "અમે બાળપણથી વાંચતા આવ્યા છીએ કે કુંભ મેળો માઘ મહિનામાં ભરાય છે. અહીંનું સ્નાન ખૂબ જ પ્રખ્યાત છે. મીડિયાએ પણ અમને ખૂબ પ્રેરણા આપી છે. અમારી દિલની ઇચ્છા પૂર્ણ થઈ છે. અમે ખૂબ ખુશ છીએ. અમે અહીં આવતાની સાથે જ સદાની દરબાર દ્વારા અમારી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે."

Advertisement
Tags :
Advertisement