For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાતા સંત સરોવરનાં 4 દરવાજા ખોલાયા

02:01 PM Sep 06, 2025 IST | revoi editor
ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાતા સંત સરોવરનાં 4 દરવાજા ખોલાયા
Advertisement

ગાંધીનગર : સાબરમતી નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા પાયે પાણી છોડવામાં આવ્યું છે. રાત્રે ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ગાંધીનગર સ્થિત સંત સરોવરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ સંત સરોવરમાં 7,075 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે 13,357 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. તંત્રએ નદીકાંઠાના તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કર્યો છે. લોકોને નદીના પટમાં ન જવાની અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ પર નજર રાખવા માટે તંત્ર સતર્ક છે. ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો નદીમાં પાણીનું સ્તર વધુ વધવાની શક્યતા છે.

Advertisement

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી રાતે 25 હજાર થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement