For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર ગુજરાત યુનિની સંલગ્ન કોલેજોમાં 60 હજાર બેઠકો સામે 31.118 ફોર્મ ભરાયા

05:48 PM May 27, 2025 IST | revoi editor
ઉત્તર ગુજરાત યુનિની સંલગ્ન કોલેજોમાં 60 હજાર બેઠકો સામે 31 118 ફોર્મ ભરાયા
Advertisement
  • જીકાસ પોર્ટ દ્વારા પ્રવેશ માટેના ફોર્મ ભરાયા હતા
  • આજે મેરીટ યાદી જોહેર કરવામાં આવી
  • કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી રહે તેવી શક્યતા

પાટણઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજો પસંદ કરીને ઓનલાઈન પર્વેશના ફોર્મ ભર્યા છે. જેની મેરીટ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં સ્નાતક અભ્યાસમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા 60 હજાર બેઠકો સામે માત્ર 31118 ફોર્મ ભરાયા છે. એટલે કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.

Advertisement

ગુજરાતમાં ધોરણ 12ના પરિણામ બાદ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ઉપલબ્ધ 60 બેઠકો સામે પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની ઓનલાઈન 31118 અરજીઓ મળી છે. આ વર્ષે બેઠકો સામે 50% જ છાત્રોએ ફોર્મ ભર્યા હોય પ્રવેશનું મેરિટ નીચુ રહ્યુ છે.

સૂત્રોના કહેવા મુજબ જીકાસ પર 21 મે ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ હવે ફોર્મ વેરિફિકેશનની પ્રક્રિયા અને ડેટા બેઝ તૈયાર થઈ જતા જીકાસ પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ માટે મેરીટ બનાવીને કોલેજોને સુપ્રત કરવામાં આવ્યું હોય કોલેજો દ્વારા પ્રથમ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. જે છાત્રોનો પસંદગી કરેલી કોલેજમાં મેરીટમાં સમાવેશ થયો હશે તો તેમને કોલેજો દ્વારા કરેલા ઓફર લેટર પણ જોવા મળશે. આ ઓફર લેટર છાત્રો ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવીને આગામી 31 મે સુધી કોલેજમાં જઈને પ્રવેશ મેળવવાનો રહેશે. જો 31 મે સુધી છાત્રો મેરીટમાં આવ્યા બાદ પણ પ્રવેશ લેશે નહીં તો નામ રદ થશે.

Advertisement

જીકાસના નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રવેશ ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર કરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે મોટાભાગના છાત્રો પ્રવેશથી વંચિત હોય તેમને પ્રવેશ મેળવવા માંગતા હોય તેમના માટે GCAS પોર્ટલ ઉપર માત્ર રજિસ્ટ્રેશન શરુ કરાયું છે. જેમને રજીસ્ટ્રેશન કરેલું હશે તેવો પોર્ટલ ખૂલતા પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ નિર્ણયથી અનેક છાત્રોને લાભ મળશે.

Advertisement
Tags :
Advertisement