For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 11માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

11:02 AM Jun 22, 2025 IST | revoi editor
શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ  ભાભર ખાતે 11માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
Advertisement

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 30 માર્ચ, 2025 ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં "Yoga for One Earth, One Health” આપી હતી તેના અનુરૂપ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 21 જૂન ના રોજ 11 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન એ. ટી. પટેલ (પી. આઈ. ભાભર ), ડો. નરેશભાઈ પી. અખાણી, આર. બી. દેવમોરારી (પી. એસ. આઈ. ભાભર ), બાબુભાઈ રાવલ સર, કેમ્પસ ડાયરેકટર રાધે ઈન્ટરનેશનલ સ્કૂલ, ભાભર, દશ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર , ક્રિષ્ના સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. વિનોદ સર તથા કોલેજ ના તમામ સ્ટાફ મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ હાજર રહી , વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

Advertisement

યોગ દિવસની શરૂઆત: યોગ શું છે ?, યોગ દિવસની શરૂઆત કોણે કરી હતી?, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઈતિહાસ, યોગના ફાયદાઓ, યોગને પ્રોત્સાહન આપવા માટે ભારતની ભૂમિકા, વગેરે વિશે માહિતી આપી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે મહેમાન , પ્રિન્સીપાલ, તમામ શિક્ષક ગણ તથા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ દ્રારા અલગ અલગ આસન, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, વ્યાયામ કરવામાં આવ્યા હતા.. જેમ કેઆ તાડાસન, વૃક્ષાસન, બ્રાહ્મ મુદ્રા, ઉષ્ટ્રાસન, વજ્રાસન વગેરે જેવા આસનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. નરેશભાઈ અખાણી સાહેબશ્રીએ યોગ દિવસને અનુરૂપ ઉપયોગી માહિતી આપી હતી, જેમકે યોગ દિવસનો મહિમા, આરોગ્ય અને શિક્ષણમાં યોગનું યોગદાન વગેરે વિશે માહિતી આપી વિદ્યાર્થીઓ ને યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ આભારવિધિ તથા છેલ્લે રાષ્ટ્રગાન કરી કરવામાં આવી...

Advertisement
Advertisement
Tags :
Advertisement