For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શેખ હસીનાને બાંગ્લાદેશમાં પરત લાવવા માટે યુનુસ સરકારના હવાતિયા

01:41 PM Apr 21, 2025 IST | revoi editor
શેખ હસીનાને બાંગ્લાદેશમાં પરત લાવવા માટે યુનુસ સરકારના હવાતિયા
Advertisement

નવી દિલ્હીઃ ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ થયેલા જાહેર વિરોધ પ્રદર્શનોએ બાંગ્લાદેશના રાજકારણની દિશા બદલી નાખી હતી. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરમુખત્યારશાહી સામે ઉઠાવાયેલા અવાજોએ જન આંદોલનનું સ્વરૂપ લીધું અને આખરે આવામી લીગ સરકાર પડી ભાંગી હતી. આ પછી, 77 વર્ષીય વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને તેઓ આશ્રય લેવા માટે ભારત આવ્યા હતા. બાંગ્લાદેશ પોલીસના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) 19 એપ્રિલે ઇન્ટરપોલને શેખ હસીના અને અન્ય 11 લોકો સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી હતી. આ વિનંતી બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટના આધારે કરવામાં આવી છે. આ લોકો પર માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહારના ગંભીર આરોપો છે, જે કથિત રીતે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયા હતા.

Advertisement

રેડ કોર્નર નોટિસ એ ધરપકડ વોરંટ નથી પરંતુ ઇન્ટરપોલ દ્વારા સભ્ય દેશોને કોઈ વ્યક્તિને શોધી કાઢવા માટે મોકલવામાં આવતી વિનંતી છે. તેને કામચલાઉ ધરપકડ કરવી જોઈએ જેથી તેને પ્રત્યાર્પણ માટે સોંપી શકાય છે. સભ્ય દેશો આ સૂચના પર કાર્યવાહી કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી, તે સંપૂર્ણપણે તેમના સ્થાનિક કાયદાઓ અને રાજકીય ઇરાદા પર આધારિત છે. આ સ્થિતિમાં, ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતે શેખ હસીનાને સોંપવી પડશે. ભારતે પહેલા જોવું પડશે કે આ આરોપો રાજકીય સ્વભાવના છે કે નહીં. જો ભારતને લાગે છે કે શેખ હસીના વિરુદ્ધ લેવામાં આવેલી કાર્યવાહી રાજકીય બદલોથી પ્રેરિત છે તો તે પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકે છે.

આ ઉપરાંત, ભારત અને શેખ હસીના વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે ખૂબ જ ગાઢ રહ્યા છે. હસીનાના શાસન હેઠળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુરક્ષા સહયોગ, સરહદ વ્યવસ્થાપન અને પ્રાદેશિક સ્થિરતામાં મહત્વપૂર્ણ ભાગીદારી રહી છે. આવી સ્થિતિમાં, આ ભારત માટે માત્ર કાનૂની મુદ્દો જ નથી પણ ખૂબ જ સંવેદનશીલ રાજદ્વારી મુદ્દો પણ છે.

Advertisement

8 ઓગસ્ટના રોજ જ્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારની રચના થઈ, ત્યારે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસને મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સરકારની રચનાના થોડા અઠવાડિયા પછી, ICT એ શેખ હસીના અને ઘણા ભૂતપૂર્વ મંત્રીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યા હતા. આ પછી, નવેમ્બરમાં, ICT એ ઔપચારિક રીતે પોલીસને ઇન્ટરપોલની મદદ લેવાની અપીલ કરી હતી. 21 જાન્યુઆરીના રોજ, વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું કે તેઓ શેખ હસીનાને ભારતમાંથી પાછા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો જરૂરી હોય તો, તેઓ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પણ માંગી શકે છે.

Advertisement
Tags :
Advertisement