For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

UGC : બાલાસોરની વિદ્યાર્થીનીના આત્મદાહ કેસમાં તપાસ સમિતિની રચના કરાઈ

05:49 PM Jul 16, 2025 IST | revoi editor
ugc   બાલાસોરની વિદ્યાર્થીનીના આત્મદાહ કેસમાં તપાસ સમિતિની રચના કરાઈ
Advertisement

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન (સ્વાયત્ત) કોલેજના વિદ્યાર્થી દ્વારા આત્મદાહની દુ:ખદ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. શિક્ષક દ્વારા હેરાનગતિ બાદ વિદ્યાર્થીએ આવું પગલું ભર્યું હોવાનો આરોપ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની તથ્ય શોધ સમિતિની રચના કરી છે.

Advertisement

આ સમિતિનું નેતૃત્વ ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પ્રોફેસર અને યુજીસી સભ્ય પ્રોફેસર રાજ કુમાર મિત્તલ કરશે. સમિતિના અન્ય સભ્યોમાં યુજીસીના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર સુષ્મા યાદવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા અને યુજીસીના સંયુક્ત સચિવ ડૉ. સુષ્મા મંગલનો સમાવેશ થાય છે, જેઓ સંકલન અધિકારીની ભૂમિકા ભજવશે.

સમિતિને સાત દિવસમાં તેની તપાસ પૂર્ણ કરવા અને વિગતવાર અહેવાલ અને ભલામણો રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સમિતિ કોલેજની નીતિઓ, ફરિયાદ નિવારણ પદ્ધતિ અને યુજીસીના જાતીય સતામણી વિરોધી માર્ગદર્શિકાના પાલનની તપાસ કરશે. આ ઉપરાંત, એ પણ જોવામાં આવશે કે વિદ્યાર્થીઓ, ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સહાય પ્રણાલી કેટલી અસરકારક છે.

Advertisement

આ સમિતિ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ પાસેથી સૂચનો લઈને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ બનાવવા તરફ પગલાં લેશે. યુજીસીનું આ પગલું માત્ર આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા તરફ જ નથી, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે નક્કર પગલાં સૂચવવાનો પણ પ્રયાસ છે.

નોંધનીય છે કે ઓડિશાના બાલાસોર જિલ્લાની ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં 20 વર્ષીય બી.એડ. વિદ્યાર્થીનીના આત્મદાહ બાદ મૃત્યુથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થીનીએ કોલેજના શિક્ષણ વિભાગના વડા (HOD) સમીર કુમાર સાહુ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને કોલેજ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના વિરોધમાં આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

Advertisement
Tags :
Advertisement