For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દહેગામ-રખિયાલ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત

04:45 PM Jun 23, 2025 IST | revoi editor
દહેગામ રખિયાલ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત
Advertisement
  • દહેગામ-રખિયાલ રોડ પર બબલપુર ગામ નજીક અકસ્માત સર્જાયો,
  • ટ્રક ચાલકે બેદરકારીથી ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરીને બાઈકને ટક્કર મારી,
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી

અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર બેદરકારીથી ચલાવાતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે દહેગામ-રખિયાલ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. દહેગામ-રખિયાલ રોડ પર શિવગંગા કોલ્ડ સ્ટોરેજ નજીક બબલપુરા ગામ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનો આકાશ નરેન્દ્રસિંહ પરમાર અને દિપક ધનજીભાઈ રાઠોડનું મોત નિપજ્યું હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દહેગામ-રખિયાલ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. દહેગામ-રખિયાલ રોડ પર શિવગંગા કોલ્ડ સ્ટોરેજ નજીક બબલપુરા ગામ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. બાઈકસવાર બંને મિત્રો બપોરે દહેગામ ગયા હતા. સાંજે પાંચ વાગ્યાના સુમારે તેઓ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. શિવગંગા કોલ્ડ સ્ટોરેજ પાસે એક ટ્રક ચાલકે બેદરકારીથી ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરતા બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવકોને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ફરજ પરના ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.મૃતક આકાશના પિતા નરેન્દ્રસિંહ પરમારે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નરેન્દ્રસિંહ ધારીસણા ગામમાં શાકભાજીનો વ્યવસાય કરે છે. તેમને બે પુત્રો છે, જેમાંથી મોટા પુત્ર આકાશનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement