ઈઝરાયલના યરુશલેમમાં બે શખ્સોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ચારના મોત
05:00 PM Sep 08, 2025 IST | revoi editor
Advertisement
ઈઝરાયલના યરુશલેમ શહેરમાં સોમવાર સવારે બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબારી કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી પેરામેડિક સેવા ‘મેગન ડેવિડ એડોમ’ના વડા અનુસાર, પોલીસની તાત્કાલિક કાર્યવાહી બાદ બંને હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા.
Advertisement
માહિતી અનુસાર, યરુશલેમના ઉત્તરી પ્રવેશદ્વાર નજીક, એક યહૂદી વસાહત તરફ જતી મુખ્ય માર્ગના ચોરાહે આ ઘટના બની હતી. ગાઝામાં ચાલતા યુદ્ધને કારણે ઈઝરાયલી કબજાવાળા વિસ્તારો અને ઈઝરાયલમાં હિંસાત્મક ઘટનાઓમાં વધારો થયો છે. ફલસ્તીનીઓના હુમલાઓમાં અનેક ઈઝરાયલી નાગરિકોના મૃત્યુ થયાં છે.
Advertisement
Advertisement