હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત

05:32 PM Apr 30, 2025 IST | revoi editor
Advertisement

  અમરેલીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બાબરા-અમરેલી રોડ પર અને રાજુલા હાઈવે પર જુદા જુદા અકસ્માતના બે બનાવોમાં બેના મોત મિપજ્યા હતા. બાબરા-અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલટી મારી જતાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગમાં મોટાભાગનું ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે. જ્યારે બીજા બનાવમાં રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, . બાબરા-અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલટી મારી જતાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ટેન્કર ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું, આગ કેવી રીતે લાગી, મૃતક ચાલકની ઓળખ અને ટેન્કરની માલિકી અંગેની વિગતો મેળવવા માટે પોલીસે ટેન્કરના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.

Advertisement

જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી છે કે, રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં લગ્ન પ્રસંગમાંથી સિહોર તાલુકાના વડીયા ગામે પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ અને કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.

Advertisement
Tags :
Aajna SamacharAmreli districtBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo accidentstwo deathsviral news
Advertisement
Next Article