સિદ્ધપુરના મક્તપુર નજીક હાઈવે પર લકઝરી બસ ટ્રેલર પાછળ ઘૂંસી જતાં બેના મોત
- ખાનગી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી
- અકસ્માતમાં 17 પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
- લકઝરી બસ પૂર ઝડપે ટ્રેલર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો
મહેસાણાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગત મેડી રાતે સિદ્ધપુરના મુક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 17 પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રવિવારે મોડી રાત્રે રાજસ્થાનથી સુરત જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ સિદ્ધપુરના મક્તુપુર નજીક ટ્રેલર પાછળ ઘૂસી જતાં બેના મોત નીપજ્યા છે, જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ રવિવારે મોડી રાત્રે મહેસાણા-ઉંઝા હાઇવે પર સિદ્ધપુરના મક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બોલતરાથી સુરત તરફ જઇ રહેલી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ઘૂસી જતાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને મહેસાણા, ઊંઝા અને ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત મૃત્યું પામેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.