For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દુબઈમાં પાકિસ્તાની નાગરિકે કરેલા હુમલામાં બે ભારતીયના મોત, એક ઘાયલ

03:45 PM Apr 16, 2025 IST | revoi editor
દુબઈમાં પાકિસ્તાની નાગરિકે કરેલા હુમલામાં બે ભારતીયના મોત  એક ઘાયલ
Advertisement

નવી દિલ્હીઃ દુબઈમાં એક પાકિસ્તાની નાગરિકે ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને એક બેકરી પર હુમલો કર્યો હતો, જેમાં તેલંગાણાના બે લોકો માર્યા ગયા હતા જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતકના કાકા એ.પોશેટ્ટીએ જણાવ્યું હતું કે, નિર્મલ જિલ્લાના સોન ગામના અષ્ટપુ પ્રેમસાગર (ઉ.વ. 35) ની 11 એપ્રિલના રોજ તલવાર વડે હત્યા કરવામાં આવી હતી, આ ઘટનાના પીડિત બેકરીમાં કામ કરતો હતો. જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

પોશેટ્ટીએ કહ્યું કે પ્રેમસાગરના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. તેમના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી નથી. તેમણે સરકારને મૃતદેહને ભારત લાવવામાં મદદ કરવા અપીલ કરી છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે બીજા મૃતકનું નામ શ્રીનિવાસ હતું, જે નિઝામાબાદ જિલ્લાનો રહેવાસી હતો. દરમિયાન, હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિની પત્ની ભવાનીએ નિઝામાબાદ જિલ્લામાં જણાવ્યું કે તેના પતિ સાગરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી રેડ્ડીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે તેઓ પ્રેમસાગર અને શ્રીનિવાસની હત્યાઓથી ખૂબ જ દુઃખી છે. તેમણે ખાતરી આપી કે વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાય આપવા અને મૃતકોના અવશેષો વહેલી તકે પાછા લાવવાનું વચન આપ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) પણ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે અધિકારીઓ સાથે વાત કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ તેમના સંપર્કમાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement