For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકચાલકે ડેમમાં ટ્રક ઉતાર્યો

06:10 PM Jun 02, 2025 IST | revoi editor
જામનગરમાં ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકચાલકે ડેમમાં ટ્રક ઉતાર્યો
Advertisement
  • ઘાસ ભરેલા ટ્રક વીજ લાઈનને સ્પર્શ થતાં ઘાસમાં આગ લાગી
  • ટ્રકચાલકે અગમચેતી દાખવીને ટ્રકને રણજીત સાગર ડેમમાં નાંખ્યો
  • ટ્રકચાલકે ડેમના પાણીમાં ઉતરીને આગ બુઝાવી દીધી

જામનગરઃ શહેરના રણજીત સાગર ડેમના રોડ પર ગઈ સાંજના સમયે ઘાસ ભરેલો એક મિની ટ્રક જઈ રહ્યો હતો ત્યારે ઘાસ ભરેલો ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઈન સાથે અથડાતા તણખા પડવાથી ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકચાલકને ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં જ ટ્રકને રોડ નીચે ઉતારીને પાણી ભરેલા ડેમમાં લઈ ગયો હતો, અને પાણીમાં ટ્રક નાખીને ટ્રકચાલકે ડેમમાં છલાંગ લગાવી દીધી હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, જામનગરના રણજીત સાગર રોડ પર રવિવારે સાંજે ઘાસ ભરેલી મીની ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઈન સાથે અથડાતા વીજ લાઈનમાં તણખા પડતા ટ્રકમાં ભરેલું ઘાસ સળગવા લાગ્યું હતું. ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રકને ડેમના પાણીમાં ઉતારીને આગ બુઝાવી હતી. પોતે નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

સ્થાનિક લોકોના કહેવા મુજબ જામનગરથી મોખાણા તરફ જઈ રહેલા એક મીની ટ્રકમાં સૂકા ઘાસનો જથ્થો ભરેલો હતો અને તે રવિવારે સાંજે રણજીત સાગર રોડ પર ડેમની નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રકમાં ભરેલા ઘાસના જથ્થામાં ઉપરથી પસાર થઈ રહેલી વિજ લાઇનમાંથી તણખો પડ્યો હતો અને ઘાસ સળગવા લાગ્યું હતું. આ બનાવ રણજીત સાગર ડેમની નજીક જ બન્યો હોવાથી ટ્રકચાલકે સમય સૂચકતા વાપરીને સળગતું વાહન આગ બુઝાવવા માટે વાહનને સીધું જ ડેમમાં ઉતારી દેવાનો પ્લાન કર્યો હતો. જે મુજબ પોતાનું વાહન ડેમના પાણીમાં લઈ જઈ ડેમની અંદર ઉતારી દીધું હતું, અને પોતે છલાંગ મારીને પાણીમાં ઉતરી ગયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ બન્યો ન હતો. આગજનીની ઘટના સમયે સળગતા ટ્રકની પાછળની નીકળનારા અન્ય વાહન ચાલકો કે જેઓએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement