For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં પોલીસ કર્મચારીના પૂત્રની હત્યા કેસના ત્રણ આરોપીઓની ધરપકડ

01:53 PM Jun 01, 2025 IST | revoi editor
ભાવનગરમાં પોલીસ કર્મચારીના પૂત્રની હત્યા કેસના ત્રણ આરોપીઓની ધરપકડ
Advertisement
  • ત્રણેય આરોપીઓનો રિકન્સ્ટ્રકશન માટે લવાતા લોકોના ટોળાં ઉમટ્યા
  • જુની અદાવતમાં આરોપીઓએ પોલીસ પૂત્રની હત્યા કરી હતી
  • દોરડા વડે કોર્ડન કરીને ત્રણેય આરોપીઓને લાવવામાં આવ્યા

ભાવનગરઃ શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં એક જૂના કેસની અદાવતમાં મહિલા પોલીસ કર્મચારીના પુત્રની હત્યાના બનાવે શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં મૃતકના માતા રેખાબેન વાઘોશીએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને  ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. હત્યા કેસના આરોપીઓ અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત સાટિયાને પોલીસે ઘટનાસ્થળે લાવ્યા હતા. પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોટો કાફલો તહેનાત કર્યો હતો. દોરડા વડે કોર્ડન કરીને આરોપીઓને ઘટના લાવવામાં આવ્યા હતા.

Advertisement

ભાવનગરમાં ઘોઘારોડ પર મહિલા પોલીસ કર્મચારીના પૂત્રની હત્યાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.ત્યારબાદ ત્રણેય આરોપીઓ અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત સાટિયાને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ સમગ્ર ઘટનાની વિગતો વર્ણવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે હાજર હતો. દોરડા વડે કોર્ડન કરી આરોપીઓને લાવવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, વર્ષ 2018માં મૃતક કેવલ અને કરશન ઉર્ફે ભાણો સાટિયા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં કરશનને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં કોર્ટ દ્વારા કેવલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. છેલ્લાં અઢી વર્ષથી કેવલ જામીન પર મુક્ત હતો. કરશનના ભાઈઓ અર્જુન, ભરત અને ભાર્ગવે આ ઘટનાનો બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો. ઘટનાના દિવસે કેવલ તેના મિત્ર દિવ્યેશ બારૈયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સેન્ટર પાસે ઊભો હતો. એ સમયે ભાર્ગવ અને ભરત સફેદ ટૂ-વ્હીલર પર આવ્યા હતા. તેમણે કેવલને પકડી રાખ્યો હતો અને તેના મિત્રોને છરી બતાવી ધમકી આપી હતી. ત્યાર બાદ બંનેએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. થોડા સમય પછી અર્જુન સાટિયા પણ ત્યાં દોડી આવ્યો અને તેણે પણ કેવલને વારંવાર છરીના ઘા માર્યા. આ હુમલામાં કેવલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement