અફઘાનિસ્તાનની અખંડિતતા સાથે સમજૂતી નહીં થાય: તાલિબાનની પાકિસ્તાનને ચેતવણી
અફઘાનિસ્તાનના તાલિબાન સરકારના રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબએ દોહાથી ઓનલાઇન પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "અફઘાનિસ્તાનની અખંડિતતા કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની દખલ અફઘાન સરકાર માટે અસ્વીકાર્ય છે." તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ડૂરંડ રેખા સંબંધિત મુદ્દો "સમજૂતીનો વિષય નથી, કારણ કે આ સીધો અફઘાન જનતા સાથે જોડાયેલો મુદ્દો છે."
મુલ્લા યાકૂબે જણાવ્યું કે તુર્કીમાં થનારી આગામી વાર્તા દરમિયાન, અત્યારે થયેલા સમજૂતીના અમલ અને દેખરેખના માળખા પર ચર્ચા કરવામાં આવશે. જ્યારે પાકિસ્તાન તરફથી શક્ય તોડફોડ અથવા હુમલાની ગેરંટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, "પાકિસ્તાનએ અન્ય બે દેશોની સામે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, પરંતુ જો તે કોઈપણ પ્રકારની આક્રમકતા દાખવશે તો અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તૈયાર છે જવાબ આપવા માટે."
મુલ્લા યાકૂબે જણાવ્યું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વેપાર ફરી સામાન્ય કરવા પર પણ સહમતિ બની છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તે દરેક દેશ સાથે, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે, ફક્ત પોતાના રાષ્ટ્રીય હિતોને આધારે સંબંધો રાખવા ઈચ્છે છે."
શરણાર્થી મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું તેમણે જણાવ્યું અને ઉમેર્યું કે "અફઘાન શરણાર્થીઓ સાથે માનવતા આધારિત વ્યવહાર કરવાની માગણી અમે પાકિસ્તાન સમક્ષ ઊભી કરી છે. તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, દોહા શાંતિ વાર્તા દરમિયાન સીઝફાયર લંબાવ્યા બાદ પણ પાકિસ્તાને શુક્રવારે અફઘાન ભૂખંડમાં હવાઈ હુમલાઓ કર્યા હતો. તેમણે આક્ષેપ કર્યો કે "આ હુમલાઓમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને કાબુલ પાસે તેનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે."