For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરેરાશ છૂટક ફુગાવાનો દર 2023-24માં 5.4 ટકાથી ઘટીને 2024-25માં 4.6 ટકા થયો

11:27 AM Jul 22, 2025 IST | revoi editor
સરેરાશ છૂટક ફુગાવાનો દર 2023 24માં 5 4 ટકાથી ઘટીને 2024 25માં 4 6 ટકા થયો
Advertisement

નવી દિલ્હીઃ સરકારે કહ્યું કે, ફુગાવાને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લીધા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ રોજગારીનું સર્જન અને ઘરગથ્થુ આવકમાં સુધારો કરવાનો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આવશ્યક ખાદ્ય ચીજો માટે બફર સ્ટોક વધારવા, ખુલ્લા બજારમાં ખરીદેલા અનાજનું વ્યૂહાત્મક વેચાણ કરવા અને સબસિડીવાળા દરે પસંદગીની ખાદ્ય ચીજોના છૂટક વેચાણને સરળ બનાવવાના નિર્ણયો લીધા છે. સીતારમણે કહ્યું કે, આ પગલાંના સારા પરિણામો મળ્યા છે અને પરિણામે સરેરાશ છૂટક ફુગાવાનો દર 2023-24માં 5.4 ટકાથી ઘટીને 2024-25માં 4.6 ટકા થયો છે, જે છેલ્લા છ વર્ષમાં સૌથી નીચો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement