For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં અષાઢી બીજના દિને જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નિકળશે

05:52 PM Jun 20, 2025 IST | revoi editor
અમદાવાદમાં અષાઢી બીજના દિને જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નિકળશે
Advertisement
  • મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાની આખરી તૈયારીઓ, રથયાત્રામાં ટ્રકો,
  • ગજરાજો, ભજન મંડળીઓ સહિત લાખો લોકો જોડાશે,
  • રથયાત્રામાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે

અમદાવાદઃ શહેરમાં તા. 27મી જુનને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી ભક્તોને દર્શન માટે પરિક્રમાએ નિકળશે, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં શણગારેલી ટ્રકો, ગજરાજો, ભજન મંડળીઓ, અખાડાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

Advertisement

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા શહેરમાં પરંપરાગત નીકળશે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો  ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહ્યો છે. જે અંગે સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવા અહેવાલ હતા. જ્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, 'દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે. અષાઢી બીજના દિને સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement