For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનાર આતંકવાદી ઠાર મરાયો

02:30 PM Jun 25, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરના રાજોરીમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનાર આતંકવાદી ઠાર મરાયો
Advertisement

નવી દિલ્હીઃ રાજોરીના કેરી સેક્ટરના બારાત ગાલા વિસ્તારમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે. સૈનિકોએ ગોળીબાર શરૂ કરતાની સાથે જ અન્ય આતંકવાદીઓ ભાગી ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ નિયંત્રણ રેખા નજીક પડ્યો હતો.

Advertisement

સૂત્રો અનુસાર, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે, ભારતીય સેનાએ બારાત ગાલા વિસ્તારમાં નિયંત્રણ રેખા પર શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ઘૂસણખોરીનો પ્રયાસ ખબર પડતાં જ સતર્ક સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ સાંજે માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને ઉપાડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સૈનિકોએ ગોળીબાર કરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. લાશ શૂન્ય નિયંત્રણ રેખા પર પડી છે.

Advertisement

આતંકવાદી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવ્યા પછી, સેનાએ સમગ્ર વિસ્તારને મોટા પાયે કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો તેઓ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જુએ તો તાત્કાલિક સેનાને જાણ કરે.

ઓપરેશન સિંદૂર પછી આ વિસ્તારમાં આ બીજો ઘૂસણખોરીનો પ્રયાસ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 જૂનની મધ્યરાત્રિએ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓના એક જૂથે પણ આ જ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સતર્ક સૈનિકોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement