For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આતંકી આકાઓ અને પાકિસ્તાનને ખ્યાલ છે કે, હુમલો થયો તો ભારત આવશે અને ઘુસીને મારશેઃ પીએમ મોદી

07:09 PM Jul 29, 2025 IST | revoi editor
આતંકી આકાઓ અને પાકિસ્તાનને ખ્યાલ છે કે  હુમલો થયો તો ભારત આવશે અને ઘુસીને મારશેઃ પીએમ મોદી
Advertisement

નવી દિલ્હીઃ લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.. પીએમ મોદીએ કહ્યું, 'મેં કહ્યું હતું કે આ ભારતના વિજયોત્સવનું સત્ર છે. જ્યારે હું 'વિજયોત્સવ' વિશે વાત કરી રહ્યો છું, ત્યારે હું કહેવા માંગુ છું - આ 'વિજયોત્સવ' આતંકના ઠેકાણાઓનો નાશ કરવા વિશે છે. વિજયોત્સવ ઓપરેશન સિંદૂરની સફળતા વિશે છે.'

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, '22 એપ્રિલે પહેલગામમાં બનેલી ક્રૂર ઘટના, જે રીતે આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી તેમને ગોળી મારી દીધી, તે ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. આ ભારતને હિંસાની આગમાં ધકેલવાનો સુનિયોજિત પ્રયાસ હતો. આ ભારતમાં રમખાણો ફેલાવવાનું કાવતરું હતું. આજે હું દેશવાસીઓનો આભાર માનું છું કે દેશે એક થઈને તે કાવતરાને નિષ્ફળ બનાવ્યો.' તેમણે કહ્યું કે હું આ ગૃહ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવા માટે અહીં ઉભો છું. જેઓ ભારતનો પક્ષ જોતા નથી તેમને અરીસો બતાવવા માટે હું અહીં ઉભો છું.'

તેમણે કહ્યું કે 22 એપ્રિલ પછી, મેં જાહેરમાં કહ્યું હતું કે અમારો સંકલ્પ છે કે અમે આતંકવાદીઓને નષ્ટ કરીશું. તેમના આકાઓને પણ સજા થશે અને સજા કલ્પના કરતાં પણ મોટી હશે. હું 22 એપ્રિલે વિદેશમાં હતો. ત્યાંથી પાછા ફર્યા પછી તરત જ મેં એક બેઠક બોલાવી. તે બેઠકમાં મેં સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે આતંકવાદને યોગ્ય જવાબ આપવો જોઈએ, અને આ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સેનાએ ક્યારે, ક્યાં, કેવી રીતે અને કઈ રીતે કાર્યવાહી કરવી તે નક્કી કરવું જોઈએ. તે બેઠકમાં આ બધી વાતો સ્પષ્ટપણે કહેવામાં આવી હતી. અમને ગર્વ છે કે અમે આતંકવાદીઓને એવી રીતે સજા આપી કે આજે પણ આતંકના આકાઓ સૂઈ શકતા નથી.

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 'પહલગામ આતંકવાદી હુમલા પછી તરત જ, પાકિસ્તાની સેનાને ખ્યાલ આવી ગયો હતો કે ભારત ખરેખર કોઈ મોટી કાર્યવાહી કરશે. તેઓએ પરમાણુ હુમલાની ધમકી આપવાનું શરૂ કર્યું. 6-7 મેની મધ્યરાત્રિએ, ભારતે તેના નિર્ણય મુજબ બરાબર કાર્યવાહી કરી. પાકિસ્તાન કંઈ કરી શક્યું નહીં. આપણા સશસ્ત્ર દળોએ 22 મિનિટમાં જ સચોટ હુમલાઓ કરીને 22 એપ્રિલની ઘટનાનો બદલો લીધો. સેનાએ દુશ્મનોનો નાશ કર્યો હતો.

ઓપરેશન સિંદૂર મામલે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશની સેનાએ અગાઉ સર્જીકલ સ્ટાઈક કરી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ સેના પાસે પુરાવા માંગ્યા હતા. જ્યારે તેમણે દેશની જનતાનો મૂડ અને મિજાજ દેખીને તેમનો મિજાજ બદલાઈ ગયો હતો. તેમજ કોંગ્રેસના નેતા કહેવાતા હતા કે, સર્જીક સ્ટાઈક શુ મોટી વાત છે અમે પણ કરી હતી. બાલા કોર્ટમાં સેનાએ એર સ્ટાઈક કરી હતી. પરંતુ ફોટોગ્રાફની માંગણી કરતા હતા. પાઈલોટ અભિનંદન પકડાઈ ગયા ત્યારે પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જો કે, અહીં પણ કેટલાક લોકો છે એક-બીજાના કાનમાં કહેતા હતા કે હવે મોદી ફસાયાં અને અભિનંદનને લઈને બતાવે. જો કે, અભિનંદન પરત ભારત લાવવામાં આવ્યાં હતા.

પહેલગામ હુમલા બાદ આપણા બીએસએફનો જવાબ પાકિસ્તાન જવાનોના હાથમાં આવી ગયો હતો. ત્યારે કોંગ્રેસને થયું કે, હવે મોદી ફસાઈ ગયા છે. બીએસએફનો આ જવાન પણ આન-બાન અને શાનથી પરત ફર્યો હતો. આતંકવાદીઓ અને તેમના આકા રડી રહ્યાં છે અને તેમને જોઈને અહીં પણ કેટલાક લોકો રડી રહ્યાં છે. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે નવો પેતરો શરૂ કર્યો કે કેમ રોકી દેવામાં આવ્યું હતું. સેના સામેની નેગેવિટી કોંગ્રેસનો જુનો ઈતિહાસ રહ્યો છે. કારગીલના વિજ્યને કોંગ્રેસે અપનાવ્યો નથી. કોંગ્રેસે કારગીલ વિજ્યનો ગૌરવ કર્યું નથી.

Advertisement
Tags :
Advertisement