હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

તમિલનાડુ: જીવનું જોખમ હોવાની ફરિયાદ છતા પોલીસની નિષ્ક્રિયાથી થયેલી હત્યાની NHRCએ નોંધ લીધી

12:53 PM Mar 25, 2025 IST | revoi editor
Advertisement

બેંગ્લોરઃ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતના એક મીડિયા અહેવાલની સ્વતઃ નોંધ લીધી છે. જેમાં જણાવાયું છે કે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં ચાર લોકોના જૂથ દ્વારા એક નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પીડિત એક કાર્યકર્તા હતા જેઓ આ વિસ્તારમાં વક્ફ જમીનના અતિક્રમણ સામે કાનૂની કેસ લડી રહ્યાં હતા અને તેમને કેટલાક લોકો તરફથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમની સાથે મળેલી હોય તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી.

Advertisement

કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલમાં રહેલી સામગ્રી, જો સાચી હોય તો તે પીડિતના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે. તેથી તેમણે પોલીસ મહાનિર્દેશક અને તમિલનાડુના તિરુનેલવેલીના જિલ્લા કલેક્ટરને નોટિસ ફટકારી છે. જેમાં ચાર અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માગવામાં આવ્યો છે. 19 માર્ચ, 2025ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ મૃતકના પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીને કારણે તેમની હત્યા થઈ હતી.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article