For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વકફ કાયદાની બંધારણીય માન્યતાને પકડારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં 16મી એપ્રિલે સુનાવણી થશે

02:00 PM Apr 10, 2025 IST | revoi editor
વકફ કાયદાની બંધારણીય માન્યતાને પકડારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં 16મી એપ્રિલે સુનાવણી થશે
Advertisement

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ 16 એપ્રિલે અરજીઓ પર સુનાવણી કરશે. CJI ઉપરાંત, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથન ત્રણ ન્યાયાધીશોની બેન્ચનો ભાગ હશે જે વક્ફ કાયદા વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરશે.

Advertisement

કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં કેવિયેટ દાખલ કરીને આ મામલે કોઈપણ આદેશ આપતા પહેલા સુનાવણી કરવાની માંગ કરી હતી. તે સુનિશ્ચિત કરવા માટે પક્ષકાર દ્વારા ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં કેવિયટ દાખલ કરવામાં આવે છે. આનો અર્થ એ થયા છે કે, તેમને સાંભળ્યા વિના કોઈ પણ આદેશ પસાર ન કરવો જોઈએ.

નવા કાયદાની માન્યતાને પડકારતી 10 થી વધુ અરજીઓ, જેમાં રાજકારણીઓ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ સમાવેશ થાય છે, સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ને સૂચિત કર્યું. તે ગયા અઠવાડિયે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

Advertisement

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમિયત ઉલેમા-એ-હિંદ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), કોંગ્રેસના સાંસદો ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદ, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી, RJD સાંસદો મનોજ ઝા અને ફયાઝ અહેમદ, AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને કેટલાક અન્ય રાજકારણીઓ અને NGO એ સુપ્રીમ કોર્ટમાં કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ દાખલ કરી છે.

Advertisement
Tags :
Advertisement