હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતમાં ઝૂંપડપટ્ટીના ડિમોલિશનમાં NGOએ ખરીદેલી સ્ટેશનરી-પુસ્તકો ગાયબ

05:46 PM May 28, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટી ડિમોલિશનની કાર્યવાહી તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી. ગરીબ પરિવારોના ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. આ ઝૂંપડપટ્ટીમાં એક એનજીઓ દ્વારા ગરીબ પરિવારોના બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવતું હતુ. ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો. ઝૂંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધારકાર્ડ પણ તૈયાર કર્યાં હતાં. આ તમામ વસ્તુઓ બાળકોને જ્યા ભણાવાતા હતા તે ઝૂંપડામાં મુકવામાં આવી હતી. દરમિયાન ડિમોલિશન દરમિયાન મ્યુનિના દબાણ હટાવ અધિકારીઓએ સ્ટેશનરી અને પુસ્તકો જપ્ત કર્યા હતા. ત્યારબાદ એનજીઓએ સ્ટેશનરી અને પુસ્તકો પરત મેળવવા મ્યુનિ.કચેરીમાં પ્રયાસો કર્યા હતા. પણ સ્ટેશનરી કે પુસ્તકોનો કોઈ અત્તો-પત્તો નથી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મસંકટમાં મૂકાયા છે. કતારગામ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો. ઝૂંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધારકાર્ડ પણ તૈયાર કર્યાં હતાં. આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલિશન સમયે મ્યુનિના અધિકારીઓએ જપ્ત કરી હતી. પરંતુ, ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકનો આક્ષેપ છે. તો બીજી તરફ આ બાબતે મ્યુનિના અધિકારીઓ તપાસ કરાવી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે.

સ્વસર્જન એનજીઓ શહેરના રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે. તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ એનજીઓ  દ્વારા કરવામાં આવી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા અહીં પણ પાડા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા. જોકે ગેરકાયદેસર દબાણ કરેલાં ઝૂંપડાં સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી. એ દરમિયાન આ એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન એકત્રિત કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું કહેવાય છે.

Advertisement

સ્વસર્જન એનજીઓના સંચાલકના કહેવા મુજબ અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ. ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી. ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે. પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો. હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ, પેન્સિલ, નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી અમે એકત્રિત કરી હતી. જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે અમને જાણ થઈ ન હતી પાછળથી જ એની સ્થાનિક લોકોએ જાણ કરતા અમે ઝોન ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો તે જ રીતે પડેલો હતો. પરંતુ કાર્યપાલક હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે. ત્યારબાદ જ્યારે ફરીથી અમે ત્યાં મેડમને મળવા માટે પહોંચ્યા ત્યારે અમારો સામાન ઝોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો હતો. ત્યાં નોકરી કરતા અધિકારીઓને અમારા સામાન વિશે પૂછતા તેમને અમને યોગ્ય જવાબ આપ્યો ન હતો. અમારા અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે. પરંતુ હવે અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અને અમને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharslum demolitionstationery-books missingsuratTaja Samacharviral news
Advertisement
Next Article