For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બેંગ્લુરુમાં RCBની વિજય પરેડ પૂર્વે સ્ટેડિયમની બહાર દોડધામ, મૃત્યુઆંક વધીને 10ની ઉપર પહોંચ્યો

06:17 PM Jun 04, 2025 IST | revoi editor
બેંગ્લુરુમાં rcbની વિજય પરેડ પૂર્વે સ્ટેડિયમની બહાર દોડધામ  મૃત્યુઆંક વધીને 10ની ઉપર પહોંચ્યો
Advertisement

બેંગ્લુરુઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની ફાઈનલમાં આરસીબીની ટીમ પંજાબને હરાવીને પ્રથમવાર ચેમ્પિયન બની છે. જેને લઈને આરસીબીના પ્રશંસકોમાં ખુશી ફેલાઈ હતી. દરમિયાન આજે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી મોટી સંખ્યામાં પ્રશંસકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. આ વખતે અચાનક દોડધામ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જો કે, ચોક્કસ મૃત્યુઆંક જાણી શકાયો નથી. તેમજ નાસભાગમાં 25થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સ્ટેડિયમના દરવાજા પાસે નાસભાગની આ ઘટના બની હતી. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

Advertisement

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજય પરેડ દરમિયાન ભાગદોડ મચી ગઈ, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કેટલીક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડ અચાનક બેકાબૂ બની જતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. તેમજ સ્ટેડિયમની અંદર અને બહાર અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઘણા લોકો કચડાઈ ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઘણા ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની દિવાલો અને વાડ પર ચઢી ગયા હતા. પોલીસે લોકોને ત્યાંથી જતા રહેવા અને આવી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા અપીલ કરી હતી.

આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમ અમદાવાદથી બેંગલુરૂ ઉજવણી કરવા માટે પહોંચી છે. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમનું સન્માન કરાશે. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં ટીમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિધાનસભા પહોંચ્યા હતા. આરસીબીના તમામ ખેલાડીઓ અને સ્ટાફ સાથે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુલાકાત કરી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહેલા આરસીબીના સન્માન સમારોહમાં સામેલ થવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સ્ટેડિયમ નજીક નાસભાગ થતાં સાત લોકોના મોત થયા છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 6 વાગ્યે આરસીબીનો સન્માન સમારોહ યોજાવાનો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement