હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ

06:09 PM Jun 05, 2025 IST | revoi editor
Advertisement

ભુજઃ જિલ્લાના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ એકાએક આગ લાગતા એસટી બસના ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને તમામ પ્રવાસીઓને બસમાંથી સલામતરીતે ઉતારી દીધા હતા. એટલે જાનહીની થઈ નથી. દરમિયાન આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનોએ દાડી આવીને પાણીનો મારો ચલાવીને આગના કાબુમાં લીધી હતી,

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ધ્રોબાથી કંડલા રૂટની લોકલ એસટી બસ નંબર GJ 18 Z 4754માં સવારે 10:10 વાગ્યે અચાનક આગ લાગી હતી. એસટીબસના ચાલકે એન્જિનમાંથી ઘૂમાડો જોતા જ એસટી બસ રોડ સાઈડ પર પાર્ક કરીને પ્રવાસીઓને ત્વરિત બસમાંથી ઉતરવાની સુચના આપી હતી. જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.

એસટી બસના ડ્રાઈવરે  પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમને તરત જ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ડ્રાઇવર જીજ્ઞેશ જેઠવા, ફાયરમેન અરમાન પટ્ટણી અને વિશાલ ગોર સહિત ટ્રેનિંગ સ્ટાફે ભાગ લીધો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે કચ્છમાં ભારે ગરમીના દિવસોમાં આગનો આ બીજો બનાવ છે. આ અગાઉ રાધનપુર હાઇવે પર રાપરના કાનમેર પાટિયા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.

Advertisement
Tags :
Aajna SamacharbhujBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespassengers rescuedPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharST bus catches fireTaja Samacharviral news
Advertisement
Next Article