સિંગાપોર અને ભારતે મેરીટાઇમ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન પર સહયોગ કરવા માટે હેતુ પત્ર પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હીઃ સિંગાપોર અને ભારતે મેરીટાઇમ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન પર સહયોગ કરવા માટે ઇરાદા પત્ર (LOI) પર હસ્તાક્ષર કર્યા છે. આ LOl પર સિંગાપોરના મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી તેઓ ઈન્ગ દીહ અને બંદર મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આર. લક્ષ્મણન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના શિપિંગ અને જળમાર્ગો (MOPSW)ની સાથે બેઠક થઈ અને સિંગાપોરના સસ્ટેનેબલ અને પર્યાવરણ મંત્રાલય તથા પરિવહન મંત્રાલયના વરિષ્ઠ રાજ્ય મંત્રી ડૉ. એમી ખોર અને ભારતના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ હાજર રહ્યાં હતા.
LOl હેઠળ, બંને પક્ષો દરિયાઈ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન પ્રોજેક્ટ્સ પર સહયોગ કરશે. જેમાં સંબંધિત હિસ્સેદારોને ઓળખવાનો સમાવેશ થાય છે. જેઓ આ પ્રયાસમાં યોગદાન આપી શકે છે અને સિંગાપોર-ભારત ગ્રીન એન્ડ ડિજિટલ શિપિંગ કોરિડોર (GDSC) પર સમજૂતી પત્ર દ્વારા ભાગીદારીને ઔપચારિક બનાવવા માટે કામ કરશે.
ભારત માહિતી ટેકનોલોજીમાં એક અગ્રણી ખેલાડી છે જેમાં ગ્રીન મરીન ઇંધણનો મુખ્ય ઉત્પાદક અને નિકાસકાર બનવાની સંભાવના છે. સિંગાપોર, એક મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ અને બંકરિંગ હબ તરીકે, ગતિશીલ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને પણ સમર્થન આપે છે. જ્યારે સિંગાપોર-ભારત GDSCની સ્થાપના થશે ત્યારે તે બંને દેશો વચ્ચે સહયોગ વધારશે અને શૂન્ય અથવા શૂન્ય નજીકમાં ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન તકનીકોના વિકાસ અને ડિજિટલ ઉકેલોને અપનાવવામાં મદદ કરશે.