For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ શહેરમાં સિંદૂર વન બનાવવામાં આવશે

04:56 PM Jun 02, 2025 IST | revoi editor
અમદાવાદ શહેરમાં સિંદૂર વન બનાવવામાં આવશે
Advertisement

ગાંધીનગરઃ પહેલગામ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી તરીકે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક  આતંકી ઠેકાણાનો નાશ કર્યો હતો. ભારત દેશને ભારતીય સેના પર ગર્વ છે. ભારતમાં લગ્ન બાદ મહિલાઓ સિંદૂર લગાવે છે. ભારતમાં સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે. દરમિયાન હવે અમદવાદ શહેરમાં સિંદૂરનું વન ઉભું કરવામાં આવશે.

Advertisement

  • સિંદૂર શેમાંથી બને છે? 

સિંદૂરનું એક વૃક્ષ હોય છે અને આ વૃક્ષને અંગ્રેજીમાં કુમકુમ ટ્રી કહેવામાં આવે છે. કુમકુમ ટ્રીને કમીલ ટ્રીથી પણ ઓળખવામાં આવે છે. સિંદૂર બનાવવા માટે આ વૃક્ષના ફળનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના 2 રાજ્યમાં સિંદૂરનું વૃક્ષ સરળતાથી મળી શકે છે. મહારાષ્ટ્રમાં આ વૃક્ષની ખેતી કરવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ સિંદૂરના વૃક્ષની ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં ભારતીય સંસ્કૃતિમાં આટલું મહત્વ રાખનાર સિંદૂરનું વૃક્ષ જોવા મળી શકે છે. હર્બલ લિપ્સ્ટિક બનાવવા માટે પણ આ ફળના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારત સિવાય આ વૃક્ષની ખેતી અમુક જગ્યાએ કરવામાં આવે છે. સાઉથ અમેરિકામાં કુમકુમ ટ્રી મળી શકે છે. તમને જણાવી દઈએ કે, કુમકુમ ટ્રીની ઉંચાઈ 20 થી 25 ફીટ ઉંચી હોય શકે છે. આ વૃક્ષ પર શરુઆતમાં ગ્રીન ફળ આવે છે પરંતુ ધીમે ધીમે આ ફળનો રંગ લાલ થઈ જાય છે. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે.

Advertisement

ભારતીય સેનાના પરાક્રમી ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ મોટી તૈયારી કરી છે. અમદાવાદ શહેરમાં સિંદૂર વન બનાવવામાં આવશે.  અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સિંદૂર વન બનાવવામાં આવશે. આ વન જગતપુર બ્રિજ નજીક 5000 ચોરસ મીટર પ્લોટમાં તૈયાર થશે. જેની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂને થશે. પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 551 સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

  • આ વન પીપીપી ધોરણે ઓક્સિજન પાર્ક (સિંદૂર વન) ડેવલોપ થશે.

ગુજરાતની આબોહવામાં સરળતાથી ઉગી નીકળતા સિંદૂરીયાના રોપા સમાજિક વનીકરણ વિભાગ તેમજ નર્સરીઓમાં મળી રહે છે. ખાસ કરીને ખેતરના શેઢે પાળે સિંદૂરીયો ઉગાડવામાં આવે છે. જે ખેડૂતને વધારાની આવક આપે છે. પીપળાના પાન જેવા જ પાન ધરાવતા સિંદૂરીયાને રોપા તેમજ તેની ડાળખીના ટુકડામાંથી પણ ઉગાડી શકાય છે. ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થતા સિંદૂરના વૃક્ષ ઉપર થતા અનોખા ફળમાં દાણા દૂર બીજ હોય છે અને તેના ઉપર કેસરી રંગનું સિંદૂર મળે છે.

સિંદૂરીયા પરથી તેના ફળ કાઢી, એમાંથી દાણા (બીજ) છૂટા પાડીને પ્રોસેસ કરીને સિંદૂર પાવડર મેળવવામાં આવે છે. સિંદૂર પાવડર બજારમાં પ્રતિ 100 ગ્રામ 240 રૂપિયા સુધી વેચાય છે. જોકે સિંદૂરીયા વિશે લોકોમાં જાગૃકતા ઓછી હોવાથી, તેનું રોપાણ અને પ્રોસેસિંગ યુનિટ પણ ઓછા છે. પરંતુ સિંદૂરીયો વધારાની આવક માટે એક ઉત્તમ માધ્યમ બની શકે છે

Advertisement
Tags :
Advertisement