For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં હવાનું પ્રદુષણ વધતા બીમાર લોકોને N95 માસ્ક પહેરવા કરાઈ અપીલ

02:14 PM Oct 18, 2025 IST | revoi editor
દિલ્હીમાં હવાનું પ્રદુષણ વધતા બીમાર લોકોને n95 માસ્ક પહેરવા કરાઈ અપીલ
Advertisement

નવી દિલ્હી: દિવાળી પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ લોકોને ગૂંગળાવી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300 ને વટાવી ગયો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહારમાં સૌથી વધુ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 387 નોંધાયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. બવાનામાં AQI 312 નોંધાયો હતો.

Advertisement

વધતા વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા, ગાઝિયાબાદ સ્થિત પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટરે સમાચાર એજન્સી ને જણાવ્યું, "AQI નોંધપાત્ર રીતે વધ્યો છે. તે COPD, અસ્થમા અથવા ક્ષય રોગ જેવા રોગોનો ઇતિહાસ ધરાવતા લોકોમાં શ્વસન સમસ્યાઓમાં વધારો કરે છે, જેના કારણે ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તેમણે દરેકને સલાહ આપી કે તેઓ બહારની પ્રવૃત્તિઓ દરમિયાન N-95 અથવા ડબલ સર્જિકલ માસ્ક પહેરે જેથી હવાની ગુણવત્તા ખરાબ ન થાય.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. અનેક વિસ્તારોમાં AQI 350થી વધુ નોંધાયું છે, જે “ખૂબ ખરાબ” શ્રેણીમાં આવે છે. ગુડગાંવ, નોઇડા અને ફરીદાબાદમાં પણ હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદનો કોઈ અંદાજ વ્યક્ત કર્યો નથી, એટલે કે પ્રદૂષણથી રાહત મળવાની શક્યતા હાલ નથી.

Advertisement

દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ ઉપર નજર કરીએ તો આનંદ વિહારમાં 382 (ખૂબ ખરાબ), જહાંગીર પુરીમાં 308 (ખરાબ), વિવેક વિહારમાં 287 (ખરાબ), નરેલામાં 273 (ખરાબ), લોધી રોડવિસ્તારમાં 229 (માધ્યમથી ખરાબ) અને આઈટીઓ વિસ્તારમાં 270 (ખરાબ) જેટલો નોંધાયો હતો. દિવાળી પછી પ્રદૂષણના સ્તરમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની સ્થિતિને જોતા દિલ્હીનું વાતાવરણ લોકોના આરોગ્ય માટે ચિંતાજનક બની રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement