દેશની 533 બેંક શાખાઓમાં અમરનાથ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા શરૂ
નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા 2025 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશભરની 533 બેંક શાખાઓમાં નોંધણી કરાવવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ શાખાઓમાં પંજાબ નેશનલ બેંક (PNB), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), J&K બેંક અને યસ બેંકનો સમાવેશ થાય છે. નોંધણી સુવિધા ફક્ત પીએનબીની 309 શાખાઓમાં ઉપલબ્ધ છે.
નોંધણી માટે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડૉક્ટર અથવા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા આધાર આધારિત ઇ-કેવાયસી અને આરોગ્ય પ્રમાણપત્ર ફરજિયાત રહેશે. જેમાં દરેક નોંધણી માટે 150 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. મુસાફરીની તારીખના આઠ દિવસ પહેલા જે-તે દિવસ માટે નોંધણી કરાવી શકાશે. દરરોજ મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે, એકવાર નિશ્ચિત સંખ્યા પૂર્ણ થઈ જાય પછી તે દિવસ માટે નોંધણી બંધ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. જેમાં અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગંદરબલ જિલ્લાના બાલતાલ પરથી યાત્રા પસાર થશે. મુસાફરી સંબંધિત કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. 13 વર્ષથી ઓછી ઉંમરના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને સાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભલે ને તેમની પાસે આરોગ્ય પ્રમાણપત્ર હોય. તેવી જ રીતે, ગર્ભવતી મહિલાઓને પણ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, યાત્રાની તારીખોની જાહેરાત જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 5 માર્ચે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની 48મી બેઠકમાં કરી હતી.
(Photo-File)