For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રથયાત્રાઃ ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

05:12 PM Jun 27, 2025 IST | revoi editor
રથયાત્રાઃ ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો
Advertisement

અમદાવાદઃ રથાયાત્રાની આગેવાની કરતા ગજરાજો રથાયત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયત્રામાં 18 ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. ગજરાજને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. નિર્વિઘ્ન રથયાત્રા પૂર્ણ થાય તે માટે ગજરાજોને રથયાત્રામાં આગળ રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથની 148મી રથાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ.  કુષ્ણ મંડળની મહિલાઓએ રથની મૂર્તિ માથે રાખી કર્યા ભજન. અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. ભક્તોના ઘોડાપૂર વચ્ચે ખલાસી ભાઈઓ રથ ખેંચતા જોવા મળ્યા.જય રણછોડનાં નાદથી ગૂંજી ઉઠી શહેરની શેરીઓ. 

Advertisement

આ વખતે રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવાયો હતો ટેબલો. પહેલ ગામમાં થયેલા હુમલા ઓપરેશન સિંદૂર ચલાવી સેનાએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો હતો જેથી સેનાને બિરદાવવા માટે 59 નંબના ટેબલોમાં કાંકરિયા યુવક મંડળના યુવાનોએ ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવી. રથયાત્રામાં મણિનગર કોષ્ટી સમાજ યુવક મંડળનો ટેબ્લો જોવા મળ્યો. આ ટેબ્લોમાં ઓપરેશન સિંદૂરને બિરદાવવામાં આવ્યું. 

ટેબ્લો પર લગાવાયું ઓપરેશન સિંદૂરનું પોસ્ટર. બ્રહ્મોસ મિસાઈલની લગાવાઈ પ્રતિકૃતિ.આ ટેબ્લોને જોઈ લોકોએ ગર્વની લાગણી અનુભવી. રથયાત્રામાં જોવા મળી દેશ ભક્તિ.બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિ સાથે સેનાની થીમ પર બનાવાયો ટેબ્લો. ટેબ્લો પર લખવામાં આવ્યું ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો અમર રહો. ભગવાનની ભક્તિ દેશ ભક્તિનો થયો સંગમ. 

Advertisement

રથયાત્રામાં એક મહિલા પોતાના માથા પર રાફેલ લગાવ્યા જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પ્રતિકૃતિ કંડારી.ઓપરેશ સિંદૂરને બિરદાવા સેનાનો ડ્રેસ પહેરી ગાલ પર કર્નલ સોફિયાનું ટેટુ બનાવ્યું. હાથમાં પોસ્ટર રાખ્યું જેમાં લખ્યું એક પ્લેન ઉડ્યુંને દુશ્મનોને ભગાળ્યા. બીજુ પ્લેન ઉડ્યું જેને લોકોને રડાવ્યા જેમાં પ્લેન ક્રેશની ઘટનાનું દુ:ખ વ્યક્ત કરાયું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં એક વ્યક્તિએ પોતાના શરીર પર ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ગાય, મોર અને 148 નંબરનું ટેટુ બનાવ્યું. ભગવાનને ગાય અને મોર પ્રિય હતા અને 148મી રથયાત્રા હોવાથી આ ટેટુ બનાવ્યું. પીઠ પર વિષ્ણુ ભગવાનના વરાહ અવતારનું ટેટુ બનાવ્યું,,, 

ભગવાનની રથયાત્રામાં વિવિધ અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા,,, આ અખાડામાં 7 નંબરનું HVM ગ્રુપ જોવા મળ્યું જેમાં નાના બાળકો કરતબ કરતા જોવા મળ્યા,,, રથયાત્રામાં અખાડાના બોડિબિલ્ડરો પોતાની બોડી બતાવાતા નજરે પડ્યા,,, આ પહેલવાનો આખુ વર્ષ આખાડામાં પોતાની બોડી બનાવા કસરત કરતા હોય છે. આ સાથે જ ચોક્કસ પ્રકારનું ડાયર્ટ લઈને પોતાની આ પ્રકારની બેડી બનાવતા હોય છે. રથયાત્રામાં બાલા હનુમાન અખાડા ગ્રુપે કર્યા દિલ ધડક કરતબ. ખીલ્લીની પ્લેન પર સૂઈને આખાડાના બતાવ્યા કરતબ તો આ સાથે બોડી બતાવતા બોડીબિલ્ડર પણ જોવા મળ્યા હતા. રથયાત્રામાં સુધિર વ્યાયમ શાળાનો 13 નંબરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ ટેબ્લોમાં જોવા મળી ભૂતની ટોળકી. પોતાનામાં  ચાલતા નકારાત્મક વિચારોને કાઢી નાંખવાનો આ ટેબ્લોમાં અપાયો સંદેશ. 

રથયાત્રામાં 102 નંબરના ટેબ્લોમાં જગદિશ મંદિર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. 60થી 70 થેલા ભરીને મગના પ્રસાદ વિતરણ કરાયું. રથયાત્રા આવેલા તમામ ભક્તોને આપવામાં આવ્યો મગનો પ્રસાદ. રથયાત્રામાં બજરંગ અખાડા નંબર -1 દ્વારા બતાવવામાં આવ્યા કરતબ. 4 મહિના પહેલા રથયાત્રામાં કર્તબ બતાવવાની કરાય છે પ્રેક્ટિસ. અહીં લાઠી દાવ પણ જોવા મળ્યા.  ભગવાન જગન્નાથના મોસાડ ગણાતા સરસપુરમાં મહાપ્રસાદનું કરાયું આયોજન,,, સરસપુરની દરેક પોળોમાં અલગ અલગ મંડળ અને સંસ્થાઓથકી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું,,, ભક્તોએ બુંદી-ફુલવળી અને દાળ-ભાતની લીધી પ્રસાદી,,, 

ભગવાન જગન્નાથનાં મોસાડ ગણાતા સરસપુરમાં ભગવાનરૂપી ભાણેજના સ્વાગતમાં ગવાયા ભજન,,, સરસપુરની મહિલા ભાજન મંડળીએ ઢોલ નગારા, ગુગરાનાં તાલ સાથે ભગવાનના આગમનને વધાવી લીધુ હતું. અમદાવાદમાં જ્યારે રથયાત્રા નિકળે છે ત્યારે ખૂબ કચરો એકઠો થાય છે,,, આ કચરાને સાફ કરાવા અલગ અલગ NGO અને અલગ અલગ સંસ્થા તથા AMCના 1000 જેટલા લોકોએ સફાઈ કરવાનું બીડુ ઉઠાવ્યું છે,,, જેમ જેમ રથ આગળ જાય તેમ તેમ પાછળ આ સંસ્થાના લોકો રસ્તો સાફ કરતા રહે છે.

Advertisement
Tags :
Advertisement