For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ

05:06 PM Jun 26, 2025 IST | revoi editor
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો  માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ
Advertisement
  • પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત,
  • સુરતના મહુવા અને વિસાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો,
  • રાજ્યમાં સીઝનનો 26.24 ટકાથી વધુ વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જનાગઢના માળિયા હાટિનામાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 4.76 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 4.65 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ નવસારીના ચીખલી, સુરતના બારડોલી અને કામરેજ તથા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સહિત 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો, મહેસાણામાં માત્ર બે કલાકમાં  સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત નિપજ્યુ હતુ.

Advertisement

ગુજરાતમાં આજે સવારથી આકાશમાં વાદળો ગોરંભાયા હતા. અને અમદાવાદ સહિત ઘણાબધા વિસ્તારોમાં આજે સૂર્ય નારાયણના દર્શન થયા નહતા. દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.  રાજ્યમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેશે. ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર રહી છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સિઝનનો 26.24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.  રાજ્યમાં આજે તા. 26 જૂનના રોજ સવારે 6.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24 ટકા જેટલો નોંધાયો છે. જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 30 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.42 ટકા, સૌરાષ્ટ્રમાં 26.35 ટકા, કચ્છ વિસ્તારમાં 21.65 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 17.29 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે કેશોદમાં એક કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, નગરજનો પરેશાન શહેરમાં શુક્રવારે બપોરથી એકઠા વરસેલા ધોધમાર વરસાદે શહેરને તકલીફમાં મૂકી દીધું છે. માત્ર એક કલાકમાં પડેલા 2 ઇંચ વરસાદે કેશોદના પુજા પાર્ક સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાટણ શહેરના રેલવે ગરનાળા પાણી ભરાઈ જતા લોકો જીવના જોખમમાં મૂકી બહાર નીકળી રહ્યા છે,  પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત નિપજ્યુ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement